કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો

હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી. અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદઢ આયોજન કરવામાં આવ્યું છે. હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ચાલી રહેલ ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં અત્યાર સુધી ૫૧૦૦ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે. બાકી રહેલા ખેડૂતોની મગફળીની ખરીદીની કામગીરી ચાલુ છે. એક ખાતેદાર ખેડૂત પાસેથી…

Read More

જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી લોકોની રજૂઆતો સાંભળતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી.તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મંત્રીશ્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા,તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,કૃષિમંત્રીશ્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું દર…

Read More