હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ”સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા કક્ષાનો ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તાલુકાકક્ષાના પ્રશ્નો બાબતે મામલતદાર કચેરી ખાતે આગામી તારીખ ૨૨/૦૧/૨૦૨પ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે યોજાશે. જે પ્રશ્ન, રજૂઆતનો નિકાલ તાલુકાકક્ષાએ થતો હોય તે અરજી તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે…
Read MoreDay: January 9, 2025
ગીર સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજયામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓ સામે સંસ્થાઓ, લોકો તેમની માંગણીના કારણો દર્શાવી ઉપવાસ/ધરણા/દેખાવો/રેલી/આત્મવિલોપન/સૂત્રોચ્ચાર કરે છે અને સરકારી કચેરીનાં પરિસરમાં તેમજ તેની આસપાસમાં બેસી જવાથી સફાઈના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જેથી ઘોંઘાટ થાય તેમજ સરકારી કચેરીઓમાં રોજીંદી કાર્યવાહીમાં રૂકાવટ ઉભી થતી હોય છે. આ કારણોસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા સમગ્ર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓની પ્રિમાઈસીસની ૨૦૦ મીટરની ત્રિજયામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામા અનુસાર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓની પ્રિમાઈસીસની ૨૦૦ મીટરની ત્રિજયામાં કોઈએ ઉપવાસ/ધરણા ઉપર બેસવું નહી.…
Read Moreટંડેલ માટે ફરજિયાત પોલીસ વેરિફિકેશન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. જિલ્લામાં પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ સિવાય જિલ્લામાં પર્યટનનાં તથા ઘણાં ધાર્મિક સ્થળો આવેલાં છે. જયાં વિશાળ પ્રમાણમાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. જિલ્લાનાં મુખ્ય મથક વેરાવળ ખાતે મત્સ્યઉદ્યોગ કેન્દ્ર આવેલ છે. જિલ્લાની મોટા ભાગની વસ્તી દરિયાઈ ખેતી સાથે સંકળાયેલી છે. જેથી માછીમારી કરવા માટે બહારથી કે અન્ય રાજયોમાંથી માણસો લાવી તેમને ટંડેલ તરીકે કામમાં ઉપયોગ કરવામાં આવે છે. આવા સંજોગોમાં જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીના પગલા લેવા આવશ્યક જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ…
Read Moreભાવનગર આર.ટી.ઓ. કચેરી દ્વારા બાકી બચેલા ગોલ્ડન/સિલ્વર નંબરોનાં ઓનલાઇન રી-ઓક્શન માટેની અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર આર.ટી.ઓ કચેરી,ભાવનગર દ્વારા વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટ્રાન્સપોર્ટ વાહનો ( થ્રી-વ્હીલર વાહનો સિવાય) માટેની સીરીઝ GJ-04-AX 0001 થી 9999, હળવા મોટર વાહન GJ-04-EP 0001 થી 9999 અને દ્વિચર્કી મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EQ 0001 થી 9999નાં બાકી બચેલા ગોલ્ડન/સિલ્વર સિરીજના નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૧૬-૧-૨૦૨૫ થી તા.૧૮-૧-૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૧૮-૧-૨૦૨૫ થી તા.૨૦-૧-૨૦૨૫ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. ઓનલાઇન રી-ઓકશન કરવાની શરતો અને પ્રક્રિયા : ઓનલાઈન ઓકશનમાં ભાગ લેનારા અરજદારે મુખ્ય કામગીરી નીચે મુજબ…
Read Moreભાવનગર જિલ્લાના તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ તા.૨૨ જાન્યુઆરીના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર જાન્યુઆરી-૨૦૨૫નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૨/૦૧/૨૦૨૫ (બુધવાર) ના રોજ સંબંધિત મામલતદા૨ કચેરી ખાતે યોજવામાં આવના૨ છે. જેમાં જિલ્લા કલેકટર ભાવનગર સીટી, જિલ્લા વિકાસ અધિકારી-ભાવનગર ગ્રામ્ય તથા પોલીસ અઘિક્ષક – વલ્લભીપુરનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ ના અધિકારઓ સંચાલન ક૨શે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. ભાવનગર શહેરનો તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટરશ્રી આર. કે. મહેતા, ભાવનગર ગ્રામ્યનો જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. એમ. સોલંકી અને વલ્લભીપુર તાલુકાનો પોલીસ અઘિક્ષક ડો. હર્ષદ પટેલની અધ્યક્ષતામાં યોજાશે. જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક,…
Read Moreભાવનગરમાં જી.એસ.ટી. એમનેસ્ટ સ્કીમ ૨૦૨૪ અંગે વિવિધ વેપારી એસોસીએશન સાથે તા. ૧૦ જાન્યુઆરીના રોજ સેમિનાર યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર જી.એસ.ટી. એમનેસ્ટ સ્કીમ ૨૦૨૪ (GST AMNESTY SCHME-2024) ની ટાઈમલાઇન મુજબ સ્કીમના અમલીકરણ અસરકારકને વધુ અસરકારક બનાવવા માટે પ્રમુખ, ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, પ્રમુખ, સી.એ. એસોસીએશન, ભાવનગર અને પ્રમુખ, બાર એસોસીએશન, ભાવનગર તેમજ વિવિધ વેપારી વર્ગોને જાણ કરવા માટે તા.૧૦/૦૧/૨૦૨૫ ના રોજ બપોરે ૦૪-૦૦ કલાકે સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. GST AMNESTY SCHME-2024 ની timeline મુજબ સ્કીમના અમલીકરણને અસરકારક બનાવવાના હેતુથી એસોસીએશનો તેમજ વેપારીઓને સમય માહિતગાર કરવા માટે તા. ૧૦/૧/૨૫ ને બપોરે ૪ કલાકે ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (મોટો મીટીંગ હોલ), ૩૧૫-ત્રીજો માળ, સાગર કોમ્પલેક્ષ, જશોનાથ…
Read Moreખેડૂત તાલીમ કેન્દ્ર, ભાવનગર ખાતે તા.૧૦મી જાન્યુઆરીએ “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન”યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર આત્મા પ્રોજેક્ટ દ્વારા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત ખેડૂત તાલીમ કેન્દ્ર, શામળદાસ કોલેઝ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં, એમ.બી.એ. ભવનની પાછળ, ભાવનગર ખાતે તારીખ ૧૦મી જાન્યુઆરી, ૨૦૨૫ને શુક્રવારના રોજ સવારે ૯:૦૦ કલાકે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન” યોજાશે. આ કૃષિ પરિસંવાદમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ સારી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે. તેમ આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરએ જણાવ્યું છે.
Read Moreજિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ જાન્યુઆરીના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા કક્ષાનો જાન્યુઆરી-૨૦૨૫ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૩/૦૧/૨૦૨૫ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી,ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર,નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે, અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૧/૨૦૨૫ સુધીમા કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.
Read Moreભાવનગર ખાતે જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટર આર.કે.મહેતાએ સુચનો કરતાં જણાવ્યું કે, જિલ્લામાં ફેટલ ડેથ થયાં હોય તેવી જગ્યાઓની જોઈન્ટ વિઝિટ કરી જરૂરી કાર્યવાહી કરવાની સાથે ખાસ કરીને બ્લેક સ્પોટ આસપાસ વાહન ચાલકોને ચેતવણીરૂપ યોગ્ય સાઈનેજીસ લગાવવા તેમજ ડાયવર્ઝન પહેલા દૂરથી જ વાહન ચાલકોને માર્ગદર્શન મળી જાય તેમજ ડાયવર્ઝન પાસેના રોડને સ્મૂધ બનાવી વાહન સરળતાથી પસાર થાય તે પ્રકારે આયોજન કરવા ખાસ સૂચના…
Read Moreતળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. મુ.તળાજા, જિ.ભાવનગરની વ્યવસ્થાપક સમિતિના ચૂંટાયેલા સભ્યોના નામો પ્રસિધ્ધ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.મુ.તળાજાની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીના પરિણામની જાહેરાત ચૂંટણી અધિકારી અને મામલતદાર-તળાજાએ તા.૩૦/૧૧/૨૦૨૪થી બિનહરીફ ચૂંટણીના પરિણામની જાહેરાત નિયમ- ૩૧ અન્વયે નમૂનો-૭માં પરિણામની જાહેર પ્રસિધ્ધિ કરતાં ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિની ચૂંટણી બાબતના નિયમો-૧૯૮૨ના નિયમ-૬૮ અન્વયે તળાજાના નાયબ કલેકટરશ્રી, નિર્દિષ્ટ સહકારી મંડળીઓ અને ચૂંટણી સત્તાધિકારી જે.આર.સોલંકીએ વ્યક્તિ પ્રતિનિધિ વિભાગ બિનહરીફ ઉમેદવારમાં ક્રમ (1) ભાવનાબેન જયવંતસિંહ જાડેજા મું.મણાર, તા. તળાજા, ક્રમ (2) પ્રેમજીભાઇ વાલજીભાઇ બારૈયા મું. દિહોર, તા.તળાજા અને ક્રમ (3) સુરેશભાઇ ભીખાભાઇ બારૈયા મુ.પીપરલા, તા.તળાજાના સર્વે ચૂંટાયેલ સભ્યો તરીકેના નામોની યાદી…
Read More