દિયોદર રાવણા રાજપૂત સમાજ ના મોભી મગનબા નું ૮૪ વર્ષે નિધન

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર રાવણા રાજપૂત સમાજ ના મોભી અને સમાજ માં પ્રમુખ તરીકે સેવા આપતા મગનજી પનાજી પરમાર (મગનબા) નું ૮૪ વર્ષે નિધન થયું છે. મગનબા એ દિયોદર તાલુકા પંચાયત માં ડેલીકેટ અને ગ્રામ પંચાયત માં ડે સરપંચ તરીકે પણ સેવા આપી છે એટલું જ નહીં પણ દિયોદર રાવણા રાજપૂત સમાજ માં પણ એક સારી નામ ના મેળવેલ છે. રાજકીય રીતે અને દિયોદર નગર માં હંમેશા સેવા ની ભાવના સાથે તેમને સારી નામ ના પણ મેળવી હતી ગત શનિવાર ના રાત્રી ના સમય તેમને અંતિમ શ્વાસ લીધા હતા એકાએક નિધન ના સમાચાર મળતા દિયોદર જિલ્લા માંથી મોટી સંખ્યા માં સમાજ ના આગેવાનો અંતિમ યાત્રા માં જોડાયા હતા અને સહુ કોઈ એ શ્રદ્ધાંજલી પાઠવી હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment