હિન્દ ન્યુઝ, ડાંગ
ભારત સરકારના “ખેત બચાવ અભિયાન” અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા આંબાપાડા અને બોરપાડા ગામે ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો.
✅ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોની માહિતી
✅ ખરીફ ઋતુ માટે જરૂરી ખેત પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન
✅ જમીનની તંદુરસ્તી અને ઓર્ગેનિક કાર્બન વધારવા પર ભાર
✅ લીલા પડવાસ પાકોના ઉપયોગ અંગે સમજણ
✅ ખેડૂતોને પ્રાકૃતિક અને ટકાઉ ખેતી અપનાવવા પ્રેરણા
કાર્યક્રમમાં ખેડૂત મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે આહ્વાન કરવામાં આવ્યું.
સ્વસ્થ જમીન – સમૃદ્ધ ખેડૂત – સુરક્ષિત ભવિષ્ય
