રામ નવમી નિમિત્તે જસદણમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ

 હિન્દ ન્યુઝ, જસદણ

     જસદણ ખાતે ભગવાન શ્રીરામના જન્મોસ્તવની ભવ્ય ઊજવણી કરવામાં આવી. જસદણ વાસીઓ ભક્તિમય બની ગયા હતા અને જ્ય શ્રી રામ નારા સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. આ શોભાયાત્રા જસદણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરેલ.

    શોભાયાત્રા જસદણના આટકોટ રોડ ઉપર આવેલ પંચ મુખી હનુમાન મંદિરેથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા એ પુજા અર્ચના કરી પ્રસ્થાન કરાવેલ ત્યાર બાદ જસદણ શહેરનાં મુખ્ય માર્ગો પર ફરી વિંછીયા રોડ પર સમાપન કરેલ. શોભાયાત્રામા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દિપકભાઈ વાઘેલા, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઇ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઇ છાયાણી, રાજગીર સમાજના અગ્રણીઓ પંકજભાઈ ચાંવ, વિનુભાઈ ચાંવ, ભાજપના પીઢ આગેવાન અશોકભાઇ મહેતા અને ચંદુભાઇ કચ્છી સહિતના આગેવાનો ખૂબજ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ 

Related posts

Leave a Comment