હિન્દ ન્યુઝ, ભાવનગર
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોચાડવા માટે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ની શરૂઆત સમગ્ર રાજ્યમાં કરવામાં આવી છે. તેની સાથો સાથ ભાવનગરના ઉત્તર કૃષ્ણનગર- રુવા વોર્ડમાં મતદાર સુધારણા યાદીના સ્ટોલની લોકો મુલાકાત લઈને માર્ગદર્શન મેળવી રહ્યા છે.
જે અંતર્ગત આજરોજ ભાવનગરના ઉત્તર કૃષ્ણનગર- રુવા વોર્ડમાં વિસ્તારમાં રથ આવી પહોંચ્યો હતો. જેમાં મતદાર સુધારણા યાદી અંગેના સ્ટોલમાં બી.એલ.ઓ. ઉપસ્થિત રહીને મતદાર યાદીમાં નામ નોંધણી, નામ કમી અને સુધારા કરાવવા અંગેનું માર્ગદર્શન આપી રહ્યા છે જ્યારે ફોર્મ વિતરણ કરીને જરૂરી ડોક્યુમેન્ટની યાદી સાથે સ્થળ પર જ ફોર્મ સ્વીકારી રહ્યા છે તો રવિવારે તા. ૩ ડિસેમ્બરના યોજાનાર મતદાર સુધારણા કાર્યક્રમ વિષે પણ માહિતગાર કરી રહ્યા છે.