એશિયા રેઝિલિયન્ટ સિટીઝ (ARC) પ્રોજેક્ટ અંગે રાજકોટ મહાનગરપાલિકા અને યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) દ્વારા બીજા તબક્કાનો બે દિવસીય વર્કશોપ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ 

     બદલી રહેલા પર્યાવરણ અને આબોહવા સંબંધી વિવિધ સમસ્યાઓના ઉકેલ લાવવા માટે એક ઇન્ટરનેશનલ ઈનિશિએટિવ “એશિયા રેઝિલિયન્ટ સિટીઝ પ્રોજેક્ટ”માં યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) દ્વારા એશિયાના ચાર શહેરોનો સમાવેશ થઇ રહ્યો છે જે પૈકી ભારતના એકમાત્ર રાજકોટ શહેરને પાર્ટનર સિટી તરીકે જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને બીજા તબક્કાના વર્કશોપનું તા. ૦૫ અને ૦૬ ઓક્ટોબરના રોજ રાજકોટમાં ખાતે આયોજન કરવામાં આવેલ છે, જેનો આજે તા.૦૫ ના રોજ સવારે માન. મેયરશ્રીનયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ, ભારત સરકારશ્રીના જોઈન્ટ સચિવ, હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય અને સ્માર્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર કુણાલ કુમાર, ઠાકરઅને મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, ડૉ. સંજય કપૂર (JSI સંશોધન અને તાલીમ સંસ્થાના પ્રતિનિધિ), Mr DamodarBachani(ARC Project Deputy Director), Uma Rao (USAID, India) પણ ઉપસ્થિત રહ્યા હતા.આ અગાઉ રાજકોટમાં પ્રથમ તબક્કાનો વર્કશોપ તા. ૦૪ અને ૦૫ ઓગસ્ટના રોજ યોજાયો હતો.

આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જની વૈશ્વિક અસરોથી રાજકોટ પણ બાકાત નથી. ત્રણેય ઋતુઓમાં સંતુલન ડીસ્ટર્બ થયેલું જણાય છે. આવી પરિસ્થિતિમાં ક્લાઈમેટ ચેન્જ ક્ષેત્રે કાર્યરત્ત યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) દ્વારા રાજકોટ મહાનગરપાલિકા સાથે જોડાઈને પર્યાવરણની ગુણવત્તામાં ક્રમશ: સુધારો લાવવાના આશય સાથે જે કાર્ય હાથ ધાર્યું છે તે સરાહનીય છે. રાજકોટની વાત કરીએ તો ઉનાળો દિવસે ને દિવસે વધુ ગરમ થઇ રહ્યો છે. ચોમાસું પણ અનિશ્ચિત બનતું જોવાઈ રહ્યું છે, જેના પરિણામે રાજકોટની જમીનમાં પાણીના તળ પણ નીચે જઈ રહ્યા છે. પાણીના તળ ઊંચા લાવવા માટે આવશ્યક પગલાંઓ લેવા જોઈએ.

મેયરશ્રીએ વિશેષમાં એમ ઉમેર્યું હતું કે, ૧૮ વોર્ડમાં ફેલાયેલું આપણું રંગીલું રાજકોટ શહેર વધુ ને વધુ રળિયામણું બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ ક્ષેત્રે વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકાર અને ગુજરાત સરકાર પણ પર્યાવરણની જાળવણી માટે સતત કાર્યરત છે. સંતુલિત પર્યાવરણ માટે જરૂરી એવા કદમ ઉઠાવવા પડશે અને ત્યારે જ ભાવી પેઢીને આપણે યોગ્ય પર્યાવરણીય માહોલ પ્રદાન કરી શકીશું. તાજેતરમાં જભારત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ઇન્ડિયન સ્માર્ટ સિટી એવોર્ડ કોમ્પીટીશન-૨૦૨૨ અંતર્ગત સમગ્ર ભારતના સ્માર્ટ સિટી પાસે જુદી જુદી કેટેગરી જેવી કે, બિલ્ડ એન્વાયરમેન્ટ, કલ્ચર, ઇકોનોમી, ગવર્નન્સ, ICCC સસ્ટેનેબલ મોડલ, મોબિલિટી, સેનિટેશન, સોશિયલ આસપેક્ટ, અર્બન એન્વાયરમેન્ટ, વોટર, ઇનોવેટિવ આઇડીયા વગેરેમાં શહેરમાં થયેલ ઉત્કર્ષ કામગીરીની નોમીનેશન પ્રક્રિયા થયેલ. જે પ્રક્રિયામાં રાજકોટ સ્માર્ટ સિટી દ્વારા વોટર કેટેગરી(વોટર બોડી રીસ્ટોરેશન, રેઇન વોટર હાર્વેસ્ટીંગ તેમજ ટેકનોલોજી આધુનિકરણ)માં સમગ્ર ભારતમાંથી કુલ 35 શહેર દ્વારા કુલ 42 નોમીનેશન / પ્રેઝન્ટેશન થયેલ. જેનું જે-તે વિષયનાં નિષ્ણાંત અધિકારી દ્વારા અવલોકન થતાં રાજકોટ સ્માર્ટ સિટીને સ્માર્ટ સિટી એરિયામાં નિર્માણ પામેલ અટલ સરોવરના પ્રોજેક્ટ બદલ સમગ્ર ભારતભરમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત થયેલ.તા.૨૭/૦૯/૨૦૨૩ના રોજ ઇન્દોર ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષ સ્થાને યોજાયેલ એવોર્ડ વિતરણ સમારંભમાં કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ પૂરીના વરદ્ હસ્તે રાજકોટ સ્માર્ટ સિટીને સ્માર્ટ સિટી એવોર્ડ એનાયત કરવામાં આવેલ.

આ વર્કશોપમાં મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે તેમના ઉદબોધનમાં એમ કહ્યું હતું કે, આશરે ૨૦ લાખની વસતિ ધરાવતા રાજકોટમાં વ્યાપારી વર્ગ અને બિઝનેસ ક્લાસ સમૂદાય વધુ છે. રાજકોટ મહાનગરપાલિકાએ પર્યાવરણની ગુણવત્તામાં ક્રમશ: સુધારો લાવવાના આશય સાથે વિવિધ પગલાંઓ લીધા છે અને હજુ ભવિષ્યમાં પણ આ સિલસિલો આગળ ધપવાની આવશ્યકતા છે. પર્યાવરણના પ્રદૂષણમાં ઘટાડો કરવા મહાનગરપાલિકાએ ઈ-મોબિલિટી પર વિશેષ ભાર મુક્યો છે. પરિવહન હેતુ લોકો માટે ઇલેક્ટ્રિક બસો ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે. હાલની તમામ ડિઝલ બસના સ્થાને ક્રમશ: ઇલેક્ટ્રિક બસ રિપ્લેસ કરવા માટેની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. હાલમાં ઇલેક્ટ્રિક બસોનાં ચાર્જીંગ માટે ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન પણ બનાવાયેલું છે. રાજકોટ મહાનગરપાલિકા ભારત સરકારશ્રીના નેટ-૦ પ્લાનને અમલીકરણમાં મુકવા આગળ ધપી રહી છે.

કમિશનર વધુમાં કહ્યું હતું કે, સૌ વાકેફ છે એ મુજબ રાજકોટ મહાનગરપાલિકાના સંકુલો પર સોલાર સિસ્ટમ મુકવામાં આવેલ છે. તેમજ અન્ય સ્થળે સોલાર પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવેલ છે. સાથોસાથ મહાનગરપાલિકાએ શહેરમાં ઓક્સીજન પાર્કના નિર્માણ માટે પણ ઝુંબેશ હાથ ધરેલી છે. પાણી માટે પણ એડવાન્સ સિસ્ટમ અપનાવવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાએ અપનાવેલ અન્ય એક યોજના હેઠળ ઈ-ઓટો ખરીદનાર વ્યક્તિને રૂ. ૩૦,૦૦૦/-ની સબસીડી પણ આપવામાં આવી રહી છે. ગત વર્ષોની તુલનાએ રાજકોટમાં પર્યાવરણની સ્થિતિમાં સુધારો નોંધાયો છે અને તેની રાષ્ટ્રીય સ્તરે નોંધ પણ લેવામાં આવેલ છે. પર્યાવરણમાં વધુ ને વધુ સુધારો થાય, રાજકોટ શહેર રહેવાલાયક અને માણવાલાયક બને તે દિશામાં પ્રયાસો કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા પ્રતિબધ્ધ છે.

આ વર્કશોપમાં ભારત સરકાર ના જોઈન્ટ સચિવ, હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય અને સ્માર્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર કુણાલ કુમારે તેમના સંબોધનમાં એમ જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જની વિપરીત અસરો ક્રમશ: ઓછી કરી પર્યાવરણની ગુણવત્તામાં સુધારો લાવવાની બાબતમાં રાજકોટ શહેર એક જીવંત ઉદાહરણ બન્યું છે. રાજકોટમાં ટીમ વર્કથી સારા પરિણામો મળી રહ્યા છે. રાજકોટમાં “સદભાવના ટ્રસ્ટ”ના હોદેદારો સાથે મુલાકાત કરવાની તક મળી. પર્યાવરણ માટે તેમના દ્વારા થઇ રહેલા કાર્યો ખુબ જ સરાહનીય છે. પર્યાવરણ બાબતે જનજાગૃતિ કેળવવા માટે મોબાઈલ ફોનનો મહત્તમ ઉપયોગ કરી શકાય એમ છે, કેમ કે આજે તો હવે ગરીબ હોય કે અમીર, સૌ વ્યક્તિ પાસે મોબાઈલ ફોન હોય છે. મોબાઈલના માધ્યમથી પર્યાવરણ બાબતે જનજાગૃતિ કેળવવી આસાન બની છે. સ્વચ્છતાની બાબત હોય કે પાણી, મોબાઈલના સથવારે હવે લોકોને જાહેર હિતની આ પ્રકારની ઝુંબેશમાં જોડવાનું સરળ બન્યું છે.

તેમણે એમ પણ ઉમેર્યું કે, પર્યાવરણને નજર સમક્ષ રાખી શહેરના સમગ્રલક્ષી વિકાસના આઈડિયામાં પોલિસી અને પ્લાનિંગ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. વિવિધ પ્રકારના આયોજનો અમલમાં છે ત્યારે પર્યાવરણ માટે પણ પ્લાનિંગ જરૂરી છે. આ યોજનમાં પણ માઈક્રો પ્લાનિંગ કરવું જરૂરી બનશે.

આ પ્રસંગે સદભાવના વૃધ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયાએ સરકાર અને સરકારની વિવિધ સંસ્થાઓ પર્યાવરણની ચિંતા કરી જુદાજુદા આવશ્યક પગલાંઓ લ્યે છે તે જોઇને આનંદ થાય છે. ડોબરીયાએ આ સંસ્થા દ્વારા પર્યાવરણ માટે વ્રુક્ષરોપણ ક્ષેત્રે થયેલી નોંધપાત્ર કામગીરી અંગે વિગતો આપતા કહ્યું હતું કે, છેલા ૮ વર્ષમાં ૨૦ લાખ વ્રુક્ષો વાવવામાં આવેલ છે. આ મહાઝુંબેશ માટે ૨૫૦ ટ્રેક્ટર અને ૧૦૦૦ માણસોની ટીમ કાર્ય કરી રહી છે.દર સપ્તાહે વ્રુક્ષોનુ મોનીટરિંગ થાય છે. ગુજરાતના ૧૫ જીલ્લામાં હાલ કામગીરી ચાલુ છે. રોડની બંને સાઈડમાં, રોડ ડીવાઈડરમાં તેમજ ખરાબાની જમીનોમાં વ્રુક્ષો વાવવામાં આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવાની નેમ છે. આકાશમાં ઉડતું વિમાન ગુજરાત પરથી પસાર થાય ત્યારે હરિયાળી જોઈને લોકોને ખ્યાલ આવી જાય કે આપણે ગુજરાત પરથી પસાર થઇ રહ્યા છીએ એટલી માત્રામાં વ્રુક્ષો વાવી તેને ઉછેરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

JSI સંશોધન અને તાલીમ સંસ્થાના પ્રતિનિધિ ડૉ. સંજય કપૂરે એમ જણાયું હતું કે, હાલમાં ૪૦ શહેરોમાં ક્લાઇમેટ ચેન્જ અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે. હવે રાજકોટ પણ તેમાં શામેલ થયું છે. રાજકોટ માટેના આયોજન અનુસંધાને આ બીજો વર્કશોપ યોજવામાં આવેલ છે. શહેરી વિકાસને પર્યાવરણ સાથે સાંકળી શકાય તે પ્રકારના આયોજન હવે આજની જરૂરિયાત બની ચુકી છે.

USAID, Indiaના ઉમા મહેશ્વર રાવે ક્લાઈમેટ ચેન્જ ક્ષેત્રે અપેક્ષિત પોઝીટીવ પરિણામો પ્રાપ્ત કરવા માટે પ્લાનિંગ અને અમલીકરણ મહત્વપૂર્ણ પરિબળો છે. રાજકોટ શહેરે તેમાં સારૂ પરફોર્મ કર્યું છે અને આ પ્રોજેક્ટ માટે ભારતમાંથી માત્ર રાજકોટની પસંદગી થયેલી છે. રાજકોટ એક મોડેલ સિટી બનીને ઉભરી રહ્યું છે. રાજકોટમાં ઈ-મોબિલિટી અને ગ્રીન એરિયાનું ખુબ જ મહત્વ છે.

રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર ચેતન નંદાણીએ આભાર કરી હતી.

તાજેતરના વર્ષોમાં રાજકોટમાં ઉનાળામાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું હોવા સાથે શહેરમાં ગરમીના મોજા (હીટ વેવ) અને તેની તીવ્રતામાં ક્રમશ: વધારો થયો છે. ARC (એશિયા રેઝિલિયન્ટ સિટીઝ) રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, અન્ય સરકારી વિભાગો, શિક્ષણવિદોઅને રહેવાસીઓ વગેરે સાથે ગાઢ ભાગીદારીમાં સાથે મળીને, આબોહવા પરિવર્તનના પડકારનો સામનો કરી રહેવા યોગ્ય વાતાવરણને ટકાવી રાખતી વિવિધ પ્રવૃત્તિઓની રૂપરેખા તૈયાર કરશે. શહેર સાથેની તેની ભાગીદારી દરમિયાન, ARC (એશિયા રેઝિલિયન્ટ સિટીઝ) વિવિધ પ્રકારના કામ કરશે અને ટકાઉ શહેરી વિકાસ માટે સિસ્ટમ અભિગમને ટેકો આપવા માટેના સાધનો અને લોકોને તેમાં સામેલ કરવાનું આયોજન છે.

રહેવા યોગ્ય આબોહવા અને પર્યાવરણ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે આવશ્યક પરિવર્તન લાવવા માટેનો ARC (એશિયા રેઝિલિયન્ટ સિટીઝ)નો સૌથી મોટો સ્ત્રોત શહેરના રહેવાસીઓ છે. ARC (એશિયા રેઝિલિયન્ટ સિટીઝ) શહેરી કાર્યસૂચિને આગળ ધપાવવા, અર્થતંત્રમાં પરિવર્તન લાવવા અને તેમના સમુદાયોને જેની જરૂર છે તેની હિમાયત કરવા માટે સહયોગ કરીને વાતચીતમાં રહેવાસીઓનો સમાવેશ કરીને આગળ વધશે.

આ પ્રોજેક્ટ શહેરમાં માનવ સંસાધન ક્ષમતાનું નિર્માણ પણ કરશે અને બિઝનેસ સમુદાય, અન્ય દાતા પ્રોજેક્ટ્સ અને નાગરિક સમાજને સક્રિયપણે જોડશે.આ પ્રોજેક્ટ ભાગીદારો BRAC, DevTech Systems, Inc., અને ICF સાથે. USAID દ્વારા અમેરિકન લોકોના ઉદાર સમર્થનથી શક્ય બન્યો છે. USAID વિશ્વભરના 80 થી વધુ દેશોમાં આર્થિક અને માનવતાવાદી સહાય પૂરી પાડીને યુએસ વિદેશી સહાયતા કાર્યક્રમનું સંચાલન કરે છે.

Related posts

Leave a Comment