ટુ-વ્હીલરના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું ઓકશન કરાશે

હિન્દ ન્યુઝ, ભુજ

         પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ – કચ્છની અખબાર યાદી મુજબ ટુ-વ્હીલરના  ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝ  GJ-12-EQનું  Re-Auction  શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૬/૧૧/૨૦૨૨, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે . ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૧૧/૨૦૨૨, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓકશનની શરૂઆત તારીખ ૧૮/૧૧/૨૦૨૨, સમય સાંજે ૪ કલાક થશે, ઇ-ઓકશન પૂર્ણ તારીખ ૨૦/૧૧/૨૦૨૨ના રોજ સમય સાંજે ૪ કલાક થશે.

        સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર રૂ.૮૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર રૂ.૩૫૦૦ તથા અન્ય નંબરોના ફીના દર રૂ.૨૦૦૦ રહેશે. જાહેર કરેલા નંબરોમાંથી જે નંબર ઓનલાઇન ઉપલબ્ધ હશે તે નંબર મેળવી શકાશે.  પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવા http://parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશરની કચેરીના પરિપત્ર ક્રમાંક નં. આઇ.ટી./પસંદગી નંબર/Online auction/7421  તા.૧૨/૧૦/૨૦૧૭ Appendix-Aની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે.   પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસની અંદર www.parivahan.gov.in વેબસાઇટ પરથી CNA ફોર્મ ભરી લેવાનું રહેશે.આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઇસનો કોઇ નંબર નહી મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહી. તો અરજી તારીખથી ગણતા ૬૦ દિવસ એટલે કે છેલ્લા દિવસે રજીસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પધ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદાર કોઇ વાંધો લઇ શકશે નહી.

        ખાસ સ્પષ્ટતા કરવાની કે, આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓકશનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધી પ્રમાણપત્રની ૩૦ દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઇ જોગવાઇ નિયમોમાં કરવામાં આવેલી નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પુરૂ થયા બાદ તેમનું વાહન અનરજીસ્ટર્ડ ગણાશે તેમન નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

        અરજદારએ હરાજીની પ્રક્રિયા પુરી થયાના ૫ દિવસમાં બીડ અમાઉન્ટના નાણા જમાં કરાવવાના રહેશે. અરજદાર જો આ નિયત મર્યાદામાં નાણા ચૂકવવામાં નિષ્ફળ જશે તો મુળ ભરેલી રકમ(Base price)ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે, જેમાં અરજદાર કોઇ વાંધો લઇ શકશે નહી.

        ઓનલાઇન ઓકશન દરમિયાન અરજદારએ આર.બી.આઇ. દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારએ રિફંડ માટે જે તે અરજદારના ખાતામાં SBI e-pay દ્વારા અત્રેની કચેરી દ્વારા પરત કરવામાં આવશે. તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની અખબાર યાદીમાં જણાવાયું છે.

 

Related posts

Leave a Comment