હિન્દ ન્યુઝ, રાધનપુર
પાટણ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા આજ રોજ તારીખ 12/9/2022 ના રોજ વિવિધ ફેડરેશન જેવા કે આંગણવાડી એસટી જીઆઇએસએફ તેમજ આરોગ્ય મધ્યાન ભોજન ના કામદારો દ્વારા મુખ્યમંત્રી ને સંબોધીને કલેકટર પાટણ મારફત આવેદનપત્ર આપવામાં આવ્યું. તમામ કર્મચારીને વર્ષો જૂની માંગણીઓની રજૂઆત 800 થી 900 કર્મચારીઓની સૂત્રોચાર સાથે રેલી કરી આવેદનપત્ર આપવામાં આવયું જેમાં પાટણ જિલ્લા ભારતીય મજદૂર સંઘ ના પ્રમુખ ભલાભાઇ દેસાઈ તેમજ પાટણ જિલ્લા ભારતીય મજદૂર સંઘના જિલ્લા મંત્રી રાજેશભાઈ પ્રજાપતિ તેમજ કોસાધ્યક્ષ બારોટ દિલીપભાઈ તેમજ આંગણવાડીમાં પ્રમુખ દીપીકાબેન વ્યાસ તેમજ રીટાબેન તેમજ રાધનપુર થી રેખાબેન વાઘેલા વગેરે ઉદ્યોગના એસટી આંગણવાડી ની કાર્યકર અને તેડાગર બહેનો ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર