કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત દ્વારા ગુજરાત ના તમામ તાલુકા તેમજ જિલ્લા પ્રમુખ મિત્રો ની ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવેલ

 હિન્દ ન્યુઝ, ભાવનગર

            કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ગાયત્રી આશ્રમ શેરખી વડોદરા મુકામે ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ના નેજા હેઠ ગાયત્રી આશ્રમ સરખી મુકામે ગુજરાત ના દરેક જિલ્લા પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ચિંતન શિબિરમાં બે દિવસ ના ચાર સત્ર નું આયોજન માં સમસ્ત ભૂદેવો ને પોતાના અંગત અનુભવો વિશે જાણકારી મેળવી તેનો આગળ શું બ્રહ્મ વિકાસ માટે પ્રયત્નો કરી શકાય તેની વિચારણા કરવામાં આવેલ તેમજ સમસ્ત કર્મકાંડ કરનારા ભૂદેવો ના જીવન માં આવનારી મુશ્કેલીઓ નો સામનો કઈ રીતે કરી શકાય તેની વિચારણા કરવામાં આવી. આ દ્વી દિન સાધ્ય ચિંતન શિબિર માં અતિથિ મહાનુભાવો નું આગમન, આશીર્વચન તેમજ સન્માન કરી અતિથિ સત્કાર કરવામાં આવેલ. આ આયોજન માં પધારેલ મહેમાનોને આવકાર્યા હતા. આવેલ દરેક તાલુકા પ્રમુખ મિત્રો તેમજ જિલ્લા પ્રમુખ મિત્રો ને સન્માન પત્ર તેમજ ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ : મયુર જાની, શાસ્ત્રીજી ભાવનગર

 

Related posts

Leave a Comment