ત્રીજી લહેર ના ખતરા ને રોકવા માટે બનાસકાંઠા જિલ્લા ના શહેરો ની સાથે ગ્રામીણ વિસ્તાર સજ્જ ઘાણા ગામે શાળા ના બાળકો ને આર્યુવેદીક ઉકાળા નું વિતરણ કરી સ્વસ્થ રહેવા ની હાકલ કરાઈ

હિન્દ ન્યુઝ, લાખણી

કોરોના કાળ નો સેકન્ડ ટર્મ એટલે કે ઘર ઘર મોત નો માતમ, 10 દિવસ ના ગાળા માં ન કોઈ ગામ કે ન કોઈ ઘર બચ્યું મોટા ભાગના ઘરો થી અનેક લોકો એ જીવ ગુમાવ્યા હતા.એ પરિસ્થિતિ યાદ આવતા જ હાલ પન કંપારી આવી જાય છે ત્યારે ત્રીજી લહેર ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે વધુ નુકશાન ન જાય એ માટે શહેરો ની સાથે ગામડા પણ સજ્જ બન્યા છે એ મુજબ લાખણી ના ઘાણા ગામે ખેડૂત આગેવાન દોલાભાઇ ખાગડા એ શાળા ના બાળકો ને આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરી સચેત બનવાની હાકલ કરી હતી હાલ સંક્રમણ નું પ્રમાણ નિહવત છે પણ વાયરલ રોગ નું પ્રમાણ વધુ છે જે આ ઉકાળો રામબાણ સાબિત થાય એમ છે.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment