શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ,ખંભાળિયા દ્વારા સલાયામાં રહેતા ઝૂંપડપટ્ટી માં રહેતા લોકો ને ધાબળા વિતરણ

હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા

શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ,ખંભાળિયા દ્વારા શિયાળા મા ગરીબો ને ધાબળા વિતરણ કરવામાં આવ્યું. હાલ તુરત ૫૦૦ ધાબળા ની સહાય આપવા નુ કાર્ય શરૂ થઈ ગયુ છે. જે પૈકી ૧૫૦ થી ૨૦૦ ધાબળા નું વિતરણ સલાયામાં ઝૂંપડપટ્ટી માં રહેતા તેમજ આસપાસ ના વિસ્તારમાં ગરીબી પરિસ્થિતિમાં જીવતા લોકો માટે સેવા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ના પાયાના પથ્થર જેવા કાર્યકર વિનોદભાઈ પંચમતિયા , મનુભાઈ કાનાણી, નિખિલભાઈ કાનાણી, સલાયા ના સેવાભાવી અને કાર્યકર એવા પરેશભાઈ કાનાણી તેમજ તેમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન સલાયામાં રહેતા ઝૂંપડપટ્ટી માં રહેતા લોકો ને ધાબળા વિતરણ કરવામાં આવ્યું.

સમગ્ર પ્રોજેકટ નુ સુંદર સંકલન શ્રી નીશિલભાઈ કાનાણી સંભાળી રહ્યા છે.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment