સમસ્ત ગમારા પરિવાર તરફથી શાંતિ હવન તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર સમસ્ત ગમારા પરિવાર કોરોના મુક્ત થાય તેમજ સમગ્ર દેશ પણ આ ભંયકર મહામારી નાં રોગથી મુક્ત થાય એ હેતુ થી શાંતિ હવન કરવામાં આવ્યું. જય શક્તિ મા, જય વાછરાડાડા, સુરાપુરા ડાડા, નાં આશીર્વાદ થી આ કાર્યક્રમ સફળ બન્યો. ભુવા મેરુભાઇ, ભુવા નાગજીભાઇ, ભુવા જીવાભાઇ, ગમારા પરિવાર અગ્રણી હેમંતભાઈ, કરણાભાઇ, વિરાભાઈ, વાછાભાઈ સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા. ગામનાં સંરપચ દિલીપભાઈ નાં સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં 60 જેટલા રોપાનું રોપણ કરવા આવ્યું. રિપોર્ટર : નાગજી પરમાર, જામનગર

Read More

રાજપીપલામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે “આઝાદીકા અમૃત મહોત્સવ” ઉજવાશે

હિન્દ ન્યુઝ, રાજપીપલા રાજપીપલામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે “આઝાદીકા અમૃત મહોત્સવ” થીમ આધારિત તા.૧૫ મી ઓગષ્ટે સ્વાતંત્ર્ય દિનની જિલ્લાકક્ષાની થનારી ઉજવણી કરાશે. નર્મદા જિલ્લામાં આગામી તા.૧૫ મી ઓગષ્ટ,૨૦૨૧ ના રોજ સવારે ૯:૦૦ કલાકે “આઝાદીકા અમૃત મહોત્સવ” થીમ આધારિત સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી રાજપીપલા મુખ્યમથક ખાતે કરાશે. આ દિવસે છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય સંકુલમાં યોજાનારા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં નર્મદા જીલ્લા કલેકટર ડી.એ.શાહના હસ્તે ધ્વજવંદન થશે, જેમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ, એસ.આર.પી, હોમગાર્ડઝ દળ, એન.સી.સી, સ્કાઉટ-ગાઈડ્સ વગેરે પ્લાટુનોની પરેડનું શાહ નિરીક્ષણ કરશે.

Read More

વિશ્વ સિંહ દિવસ-ર૦ર૧ – એશિયા ખંડની શાન સોરઠના સાવજ-સિંહના જતન-સંવર્ધન-જનજીવનમાં સ્વીકૃતિ અંગેની જાગરૂકતા કેળવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું આહવાન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર વિશ્વ સિંહ દિવસે મુખ્યમંત્રી વર્ચ્યુઅલ ઉજવણીમાં સહભાગી થયા, રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહની સંખ્યામાં ર૯ ટકાની વૃદ્ધિ-રાજ્યમાં સિંહ વધીને ૬૭૪ થયા, એશિયાઇ સિંહના સંરક્ષણને અગ્રતા આપી પ્રધાનમંત્રીએ લાયન પ્રોજેકટની જાહેરાત કરેલી છે. ગુજરાત સરકારે સિંહોના આરોગ્ય સંરક્ષણ જતન માટે સાસણમાં અદ્યતન લાયન હોસ્પિટલ-લાયન એમ્બ્યુલન્સની સુવિધા આપી છે. સિંહોના આનુવાંશિક ગુણો જાળવી રાખી સિંહ પ્રજાતિના સંવર્ધન માટે સૌરાષ્ટ્રમાં ત્રણ જિન પૂલ શરૂ કર્યા. સાસણ ગીરમાં સ્ટેટ ઓફ ઘ આર્ટ હોસ્પિટલ અને ડીસીઝ ડાયગ્નોસ્ટીક રિસર્ચ સેન્ટરની સ્થાપના આવનારા દિવસોમાં કરવા નક્કી કરેલ છે.

Read More

શ્રાવણ માસમાં માંસ મટન ની હાટડીઓ બંધ કરાવવા આવેદન પત્ર પાઠવયુ

હિન્દ ન્યુઝ, થરાદ દર શ્રવણ માસ આવે ને આવેદન આપવા આવવું પડે શું ખરેખર યોગ્ય છે ? તંત્ર સંજાગ નથી ? બિન કાયદે સર ચાલી રહી છે માંસ મટન ની હાટડીઓ, કોની મહેરબાની ?? વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના નેજા હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું શ્રાવણ માસમાં માંસ મટન ની હાટડીયો બંધ કરાવવા માટે વિશ્વ હિન્દૂ પરિસદ, બજરંગ દલ, જીવ દયા સંગઠન દ્વાર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. હિન્દુ સમાજ માં પવિત્ર માનવામાં આવતા શ્રાવણ માસનો સોમવાર ના શુભ દિવસે પ્રારંભ થયો છે અને દેવોના દેવ મહાદેવ ના આ અતિ…

Read More

સહકારી મંડળીઓનાં સભાસદોના નાણાકીય હક્કો જળવાયા મંડળીનાં નફાના વિનિયોગ કરવા સારૂ વાર્ષિક સાધારણ સભાની બહાલી મેળવવાની શરતે સભાસદોને ડિવિડન્ડ આપી શકાશે

હિન્દ ન્યુઝ, સુરેન્‍દ્રનગર ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ–૧૯૬૧ ની કલમ-૬૬(૨) મુજબ સહકારી મંડળીઓ નફાનાં કોઇ ભાગનો વિનિયોગ વાર્ષિક સાધારણ સભાની મંજુરી સિવાય અને અધિનિયમ, નિયમો અને ઉપનિયમોને અનુરૂપ હોય તે સિવાય કરી શકતી નથી. આ જોગવાઇને કારણે સહકારી મંડળીઓ સાધારણ સભાની મંજુરી વિના તેના સભાસદોને ડિવિડન્ડ વહેંચી શકતી નથી, કે પછી રાજ્ય સહકારી સંઘને શૈક્ષણિક ફંડ પણ આપી શકતી નથી. કોવિડ–૧૯ ની પરસ્થિતિના કારણે લોકો જ્યારે આર્થિક સંકળામણ અનુભવી રહ્યા હોય ત્યારે સહકારી મંડળીઓના સભાસદોને તેમના નાણાંકીય હકો સમયસર મળે તે ખૂબ જ જરૂરી છે. જેથી તાજેતરમાં સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ…

Read More

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ૧૨-ઓગસ્ટના મોરબીમાં એથ્લેટીક્સ રમતોનું આયોજન

હિન્દ ન્યુઝ, મોરબી મોરબી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તાબા હેઠળની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોરબીની કચેરી દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત મોરબી જિલ્લાના અંડર-૧૯ ભાઇઓ માટે એથ્લેટીક્સ રમતની ૧૦૦ મી., ૨૦૦ મી., ૪૦૦ મી., ૮૦૦ મી., તથા ૧૫૦૦ મી દોડ (સ્પ્રીન્ટ) સ્પર્ધાનું આયોજન તારીખ ૧૨/૦૮/૨૦૨૧ ના રોજ સવારે ૮:૦૦ કલાકે ન્યૂએરા ગ્લોબલ સ્કુલ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે યોજાશે. આ સ્પર્ધામાં તા.૧૫/૦૮/૨૦૦૨ થી તા.૧૪/૦૮/૨૦૦૭ વચ્ચે જન્મેલા એટલે કે ૧૯ વર્ષથી નીચેના અને ૧૪ વર્ષથી ઉપરની વયના ભાગ લેવા ઇચ્છુક ભાઇઓએ સ્પર્ધા સ્થળે પોતાના આધાર કાર્ડની નકલ સાથે સમયસર…

Read More

અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયા

હિન્દ ન્યુઝ, અમરેલી આગામી દિવસોમાં ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસનો તહેવાર આવતો હોય તેમજ હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.વી.વાળાએ કેટલાક કૃત્યો પર મનાઈ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં જણાવેલ છે કે તા. ૭/૮/૨૦૨૧ થી તા. ૨૧/૮/૨૦૨૧ સુધી સમગ્ર અમરેલી જિલ્લાના વિસ્તારમાં કોઇપણ ઇસમે શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, લાકડી અથવા લાઠી કે શારીરિક ઇજા-હિંસા પહોંચાડવા ઉપયોગી થઇ શકે તેવી કોઇપણ ચીજવસ્તુ, સ્ફોટક પદાર્થ અથવા પથ્થરો સાથે ઘર બહાર નીકળવું નહિ. કોઇ આકૃત્તિઓ અથવા…

Read More

ઘોઘા સરતળાવ થી જૂની જેટી રોડ અને ઘોઘા થી નવા રતનપર રોડનું ખાતમુહૂર્ત કરતાં મત્યોદ્યોગ મંત્રી પરસોત્તમભાઇ સોલંકી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે આજે મત્યોદ્યોગ મંત્રી પરસોત્તમભાઇ સોલંકીએ ઘોઘા સરતળાવ થી જૂની જેટી રોડ અને ઘોઘા થી નવા રતનપર રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ખાતમુહૂર્ત અવસરે મંત્રીએ જણાવ્યું કે, ૧૦ વર્ષ પહેલાં આ વિસ્તાર ઘણો પછાત ગણાતો હતો. તેની જગ્યાએ આજે ઘોઘા રો-રો ફેરી જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સગવડો ઘોઘામાં શરૂ થઇ છે. ઘોઘામાં રાજ્ય સરકારની સેન્ટર ઓફ એક્સેલન્સ યોજના હેઠળ ઘોઘા અને કૂડામાં કસ્તૂરબા ગાંધી વિદ્યાલય બનવાનાં છે. તેમણે જણાવ્યું કે, ઘોઘામાં આ સિવાય ધો-૧૨ સાયન્સની શાળા પણ શરૂ થવાં જઇ રહી છે. આ અગાઉ અહીંયા…

Read More

પાંચ ટન ક્ષમતાના નવા બની રહેલા ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ સેન્ટર અને કોઠારિયામાં બની રહેલા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનની મુલાકાત લેતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં ભાવનગર રોડ પર કે.એસ.ડીઝલ સામે પાંચ ટન ક્ષમતાના નવા બની રહેલા ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ સેન્ટર (કચરામાંથી ખાતર બનાવવા) અને કોઠારિયામાં બની રહેલા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનની મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ મુલાકાત લઈ ચાલુ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત કમિશનરએ ઇલેક્ટ્રિક બસ માટે ભાવનગર રોડ પર બનાવવામાં આવી રહેલા ચાર્જિંગ સ્ટેશનની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. ૮૦ ફૂટ રોડ પર જ કાર્યરત્ત મટિરિયલ રિકવરી ફેસિલિટી સેન્ટરની કામગીરી પણ તેમણે નિહાળી હતી અને પ્રગતિમાં રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.  …

Read More

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઈને “One District One Green Champion” એવોર્ડ એનાયત કરાયો

હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઈને “One District One Green Champion” એવોર્ડ એનાયત થયો છે. ભારત સરકારના શિક્ષણ વિભાગ હસ્તકના મહાત્મા ગાંધી નેશનલ કાઉન્સિલ ઓફ રૂરલ એજ્યુકેશન દ્વારા દેશભરની હાયર એજ્યુકેશન ધરાવતી સંસ્થાઓ માટે સંસ્થા અને પરિસરમા સ્વચ્છતા, જળ સંરક્ષણ, કોવિડ-૧૯ SOP નુ પાલન, સેનિટેશન પ્લાન, નકામા કચરાનુ વ્યવસ્થાપન, કેમ્પસમાગ્રીનરી, ઊર્જા વપરાશનુ નિયમન વિગેરે બાબતોનુ મૂલ્યાંકન કરાયુ હતુ. જેમા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઈએ પણ ભાગ લીધો હતો.

Read More