સમસ્ત ગમારા પરિવાર તરફથી શાંતિ હવન તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર

સમસ્ત ગમારા પરિવાર કોરોના મુક્ત થાય તેમજ સમગ્ર દેશ પણ આ ભંયકર મહામારી નાં રોગથી મુક્ત થાય એ હેતુ થી શાંતિ હવન કરવામાં આવ્યું. જય શક્તિ મા, જય વાછરાડાડા, સુરાપુરા ડાડા, નાં આશીર્વાદ થી આ કાર્યક્રમ સફળ બન્યો. ભુવા મેરુભાઇ, ભુવા નાગજીભાઇ, ભુવા જીવાભાઇ, ગમારા પરિવાર અગ્રણી હેમંતભાઈ, કરણાભાઇ, વિરાભાઈ, વાછાભાઈ સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા.

ગામનાં સંરપચ દિલીપભાઈ નાં સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં 60 જેટલા રોપાનું રોપણ કરવા આવ્યું.

રિપોર્ટર : નાગજી પરમાર, જામનગર

Related posts

Leave a Comment