ભારતીય ગૌરક્ષા વાહિનીમાં માન. રિતેશ પટેલ (કાલાવડ) ને સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી તરીકે નિમણુંક

કાલાવડ,

ભારત ભરમાં ગૌરક્ષા માટે કાર્યરત ભારતીય ગૌરક્ષા વાહિનીમાં માન. રિતેશ પટેલ (કાલાવડ) ને સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાના કાલાવડ ના રહેવાસી અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે હિન્દુત્વ વાદી સંગોઠનો અને ખાસ ગૌરક્ષા સંગઠનોમાં વર્ષોથી હિંદુઓ અને હિન્દુત્વ માટે સદૈવ અગ્રેસર રહી અને જામનગર, કાલાવડ અને સમગ્ર ગુજરાતમાં હિન્દૂ હિત માટે સદૈવ લડત આપનારા એવા માનનીય રિતેશ પટેલ ને ભારતીય ગૌરક્ષા વાહિનીમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી તરીકે નિમણુંક થવા બદલ તેઓના મિત્ર મંડળ, શુભેચ્છકો અને હિન્દૂ ધર્મ પ્રેમીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

ભારતીય ગૌરક્ષા વાની દ્વારા તેઓને સૌરાષ્ટ્ર પ્રભારી તરીકે નિમણૂક બાદ માન. રિતેશ પટેલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સમગ્ર સૌરાષ્ટ્રના હિંદુ ધર્મ પ્રેમી જનતાને જણાવવામાં આવ્યું હતું કે ધર્મપ્રેમીઓ એ સમગ્ર સૌરાષ્ટ્રના કોઈપણ વિસ્તારમાં હિન્દુઓને કોઈને પણ મદદ, સલાહ, સુચન અને અન્ય કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય તો તેઓના કાર્યાલયમાં રૂબરૂ અથવા તેમના મોબાઈલ નંબર 9825093976 સંપર્ક કરવો.

 

રિતેશ પટેલ (ગૌ રક્ષક)

ભારતીય ગૌરક્ષા વાહિની

સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી
મુ. પો. કાલાવડ
મો. 9825093976

Related posts

Leave a Comment