હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકશાનના સંદર્ભમાં ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકશાનના સર્વે સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું તેમજ સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશ આપ્યા હતા.
રાજ્યમાં આ વર્ષે અસાધરણ સંજોગોમાં કમોસમી વરસાદ થયો છે તેવા સંજોગોમાં ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ ધરાવે છે.
