હિન્દ ન્યુઝ, ભાવનગર
યશવંતરાય નાટ્યગૃહ, ભાવનગર ફાયર સેફટીના ઉપકરણોના ઈસ્ટોલેશન માટે બંધ કરવામાં આવેલ હતું. ફાયર સેફટી NOC માટેની પ્રક્રિયા પૂર્ણ થતાં યશવંતરાય નાટ્યગૃહના બુકીંગની કાર્યવાહી તા.૨૪-૦૩-૨૦૨૫ ને સોમવારથી શરૂ કરવામાં આવનાર છે. બુકીંગનો સમય સવારે ૧૦:૦૦ કલાકથી બપોરના ૦૨:૦૦ કલાકનો રહેશે. જેની ભાવનગરની જાહેર જનતા અને કલા રસિકોએ નોંધ લેવા યશવંતરાય નાટ્યગૃહના મેનેજર રાજેન્દ્રસિંહ ગોહીલની યાદીમાં જણાવાયું છે.