ભાવનગરના પાનવાડી ખાતે તા.૩૦ સપ્ટેમ્બરના રોજગાર ભરતીમેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

આથી જણાવવાનું કે જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ભાવનગર દ્વારા તા.૩૦ સપ્ટેમ્બરના સમય:સવારે ૧૦:૩૦ કલાકે,ડો.આંબેડકર ભવન,એસ.ટી બસ સ્ટેન્ડ પાસે,પાનવાડી ખાતે ભરતીમેળો યોજાનાર છે. 

જેમાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૪ એકમ(કંપની)માં આઈ.ટી.આઈ (મેકેનિક, વેલ્ડર, ફિટર, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન,મશીનિસ્ટ) ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, ૧૨પાસ વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓ માટે મેકેનિક, હેલ્પર, સર્વિસ એડવાઇઝર. ઇલેક્ટ્રિશિયન, ડિપ્લોમા હોલ્ડર, ફ્લોર સુપરવાઇઝર, ડેન્ટ ઑટો એક્સ્પર્ટ, માર્કેટ એક્ઝિક્યૂટિવ, સીનિયર માર્કેટ એક્ઝિક્યુટિવ ક્રેડિટ કાર્ડ સેલ એક્ઝિક્યુટિવ, આઇ.ટી.આઇ (ફિટર, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, મશીનિસ્ટ) વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે.ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યું માટે રિઝયુમની ૫(પાંચ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા રોજગાર અધિકારી ભાવનગર દ્વારા જણાવવામાં આવે છે.

Related posts

Leave a Comment