ભાવનગર મામલતદાર કચેરી ખાતે ૨૫ સપ્ટેમ્બરના રોજ તાલુકા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ભાવનગર તાલુકાના પ્રજાજનો પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે તે માટે સપ્ટેમ્બર-૨૦૨૪ના માસનો “મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું આયોજન તા.૨૫/૦૯/૨૦૨૪નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી, આઈ.ટી.આઈ.વાળો ખાંચો,વિદ્યાનગર, ભાવનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ભાવનગરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું છે. 

ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટે સંબંધિત તલાટી-કમ-મંત્રીને તથા તાલુકા કક્ષાના પ્રશ્નો હોય તે તા.૧૦/૦૯/૨૦૨૪ સુધીમાં મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય), ભાવનગરની કચેરીને સાદી અરજીમાં બે નકલમાં પહોંચાડી આપવા મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય)ની યાદીમાં જણાવાયું છે.


Related posts

Leave a Comment