ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ કપાસ પાકના આગોતરા વાવેતર માટે ધ્યાનમાં રાખવાની બાબતો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

 હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ચોમાસાની સીઝન તારીખ ૧૯ જૂનથી શરૂ થવાની શક્યતા રહેલી છે. તેથી કપાસ પાકના આગોતરા વાવેતર માટે જે ખેડૂતોને પિયતની સગવડ હોય તો તે ખેડૂતોએ વાવેતર કરવું જોઈએ.

અન્યથા પાક ઉત્પાદનમાં અસર પહોંચવાની શક્યતા રહેલી છે. તેથી જિલ્લાના ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત રીતે લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.

બિયારણની ખરીદી સમયે ખેડૂતોએ વેપારી પાસેથી તેનું પૂરું નામ, લાયસન્સ નંબર, સરનામું, જે બિયારણ ખરીદેલું હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદ્દત પુરી થવાની વિગતો દર્શાવતું સહી સાથેનું બિલ અવશ્ય લેવું જોઈએ. કોઈપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ના ધરાવતા હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી કયારેય પણ બિયારણની ખરીદી કરવી જોઈએ નહીં. જેથી ખેડૂતો સાથે છેતરપિંડી ના થાય. રાજ્યમાં કપાસ પાકના વાવેતર માટે જરૂરી બીટી કપાસના બિયારણ અને રાસાયણિક ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

ખેડૂતોએ કપાસની એક જ જાતનું વાવેતર ના કરતા બજારમાં ઉપલબ્ધ વિવિધ જાતોનું વાવેતર કરવું જોઈએ. જેથી સંભવિત જોખમ નિવારી શકાય. આમ, બિયારણ અને ખાતરની જરૂરિયાત મુજબ જુદી-જુદી જાત અને જુદા-જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવી જોઈએ.

બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ કરવામાં આવતું હોય અને રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતર સિવાયના અન્ય ખાતરો ફરજીયાત રીતે આપવામાં આવતા હોવાની બાબત જો ધ્યાનમાં આવે તો નજીકના જિલ્લાની ખેતીવાડી ખાતાની ઓફીસનો સંપર્ક કરવા ખાતરો ફરજીયાત આપવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવેતો તાત્કાલિક સંબંધિત તાલુકાના ખેતીવાડી અધિકારી/ એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા મદદનીશ ખેતી નિયામક અથવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), ગીર સોમનાથને તુરંત જાણ કરવી તેમ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ગીર સોમનાથની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


Advt.

Related posts

Leave a Comment