જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ શાકભાજી વેચતા વેપારીઓને કાપડની થેલી આપી મતદાન અંગે જાગૃત કર્યા

ચૂનાવ કા પર્વ-દેશ કા ગર્વ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     લોકશાહીના પર્વમાં દરેક મતદાર સહભાગી બની લોકશાહીનો પાયો મજબૂત બનાવે તે માટે લોકોને અવશ્ય મતદાન કરવા અપીલ સાથેના સંદેશા આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા મતદાન જાગૃતિના સંદેશા માટે નવતર પ્રયોગ કરી વેરાવળ શાકમાર્કેટ ખાતેના વેપારીઓને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કલેક્ટર એ આ અંગે જણાવ્યું હતું કેપ્લાસ્ટિકમુક્ત ભારત માટે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલી વાપરવાથી પર્યાવરણનું સંરક્ષણ થશે. તેમણે શાકભાજીના વેપારીઓને પોતાના શાકભાજીના વેચાણ માટે કાપડની થેલીનો ઉપયોગ કરવા પણ જણાવ્યું હતું. 

જિલ્લા કલેક્ટર એ જણાવ્યું હતું કેઆગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણી નિર્ભયતાપૂર્વક અને મુક્ત તથા ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આજે સવારે વેરાવળ ખાતે આવેલ શાકમાર્કેટમાં શાકભાજી વેચતા વેપારીઓ અને શાકભાજી લેવા આવતાં લોકોને પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરવા અને કાપડની થેલીનો ઉપયોગ કરવા માટે મતદાન જાગૃતિ અંગેની કાપડની થેલીઓ વિતરણ કરવામાં આવી હતી. થેલી પર મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ને મંગળવારના રોજ અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીના પાયાને મજબૂત બનાવીએ તે પ્રકારના સંદેશા સાથે લોકોને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.

આ તકે અધિક જિલ્લા કલેક્ટર રાજેશ આલવેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોષીનાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગારમાર્ગ એન્ડ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સર્વ સુનિલ મકવાણાઅંકિત ભદોરિયાનગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયાજિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચાવેરાવળ શહેર મામલતદાર શામળાગ્રામ્ય મામલતદાર આરઝુ ગજ્જરવેરાવળ તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહ પરમારસીટી પીઆઇ ગોસ્વામી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

Leave a Comment