હિન્દ ન્યુઝ, ભાવનગર
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ તણસા કેન્દ્રવતી શાળામાં આવી પહોંચતા અનેક લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત સ્થળ ઉપર જ લાભ આપવામાં આવ્યા હતા.
જેમાં નિર્મળસિંહ કેશુભા અને પ્રદિપસિંહ અનુપસિંહ ગોહિલને અન્નપૂર્ણા યોજના હેઠળ કિટનું વિતરણ કરવામાં આવ્યું. આ કિટ અંતર્ગત લાભાર્થીઓને વિનામૂલ્યે દર મહિને ઘઉં અને ચોખા મળશે.
સંકલ્પ યાત્રા થકી કેન્દ્રવતી શાળામાં આવેલ ગોહિલ દિવ્યરાજ સિંહને અને તેમના સર્વ પરિવારજનો ને આયુષ્માન કાર્ડ સ્થળ ઉપર જ ઉપલબ્ધ થઈ ગયા. તેમના માટે લાભ તેમના ઘર આંગણે આવ્યો અને બિનજરૂરી ધક્કાથી મુક્તિ મળી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભાર્થીઓના દ્વારે આવે છે અને તે જ સમયે લાભાર્થીઓને લાભ અર્પણ કરવામાં આવે છે.