ભાવનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.૦૭ ડિસેમ્બરનાં રોજ ફરશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથો ફરનાર છે. 

જેમાં તા.૦૭/૧૨/૨૦૨૩ નાં ભાવનગર તાલુકામાં ઉંડવી અને શામપરા (ખો), તળાજા તાલુકામાં નીચડી અને મહાદેવપરા, મહુવા તાલુકામાં ગઢડા અને દેવળીયા, પાલીતાણા તાલુકામાં સાતાનાનેશ અને બોદાનાનેશ, સિહોર તાલુકામાં સોનગઢ, વલ્લભીપુર તાલુકામાં જૂના રામપર અને રામપુર, ઘોઘા તાલુકામાં સારવદર અને તણસા, ઉમરાળા તાલુકામાં સમઢીયાળા અને ભોજવદર તેમજ ગારીયાધાર તાલુકામાં મોરબા અને વેળાવદર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.

Related posts

Leave a Comment