ભાવનગર ખાતે સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭/૧૨/૨૦૨૩ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

રાજય સરકાર ના આદેશ અનુસાર તા.૨૭/૧૨/૨૦૨૩ ને બુધવાર ના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, વિધાનગર, બી.પી.ટી.આઈ. સામે ભાવનગર શહેર ખાતે માન. મુખ્યમંત્રી નો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નો ના નિકાલ કરવા માટે નાયબ કલેકટર ભાવનગરના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે.

આથી ભાવનગર સીટીના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદારઓ પાસે થી તા. ૧૦/૧૨/૨૦૨૩ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નો ના આધાર પુરાવા સાથે અરજી મંગાવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ના મથાળા નીચે સીટી મામલતદાર, ભાવનગર ને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમ માં ગત તાલુકા ફરિયાદ નિવારણા કાર્યક્રમમાં અનિર્ણીત રહેલ અરજદારો તથા સંબધીત વિભાગોએ જરૂરી આધારો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે એ આ કાર્યક્રમ માં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરી શકશે. સામુહીક રજુઆત કરી શકાશે નહી જે સીટી મામલતદાર ભાવનગરની યાદીમાં જણાવેલ છે.

Related posts

Leave a Comment