સ્વચ્છતા હી સેવા: કોડીનારમાં મહાનુભાવોની પ્રતિમાની સાફ સફાઇ કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

          “સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ આજરોજ કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરમાં ડો બાબા સાહેબ આંબેડકર, છત્રપતિ શિવાજી મહારાજ સહિતના મહાનુભાવોની પ્રતિમાની સફાઈ કામગીરી તેમજ પ્રતિમા આસપાસના વિસ્તારોને પણ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સાફ સફાઇ કરવામાં આવી હતી.

આ સ્વચ્છતા ઝુંબેશ કોડીનાર શહેરના સફાઇ કર્મચારીઓ તથા એનજીઓએ સંયુક્ત રીતે હાથ ધરી હતી. જેમાં ડો.બાબા સાહેબ આંબેડકર સહિત વિવિધ સ્વાતંત્ર્ય સૈનિકો તેમજ મહાનુભાવોની પ્રતિમાઓ અને તેમના આજુબાજુના વિસ્તારની સફાઇ કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment