હિન્દ ન્યુઝ, ભાવનગર
અરબી સમુદ્રમાં આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડાના કારણે ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અસર થાય તેવી શક્યતા છે. આ શક્યતાને ધ્યાને લઇ પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને તા.૧૨/૦૬/૨૦૨૩ ના રોજ ભાવનગરમાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના વિદ્યાર્થીઓની સલામતોને ધ્યાને લઇ અપાયેલ સુચના મુજબ તા.૧૪-૦૬-૨૦૨૩ અને તા.૧૫-૦૬-૨૦૨૩ ના રોજ શિક્ષણ કાર્ય બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી.
જેથી ભાવનગર જિલ્લાના દરીયાકાંઠાના તાલુકાઓ મહુવા, તળાજા,ભાવનગર ગ્રામ્ય, ધોધામાં આવેલી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૧૪/૦૬/૨૦૨૩ અને તા.૧૫/૦૬/૨૦૩ના રોજ શિક્ષણ કાર્ય બંધ રાખવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સૂચના અપાઈ છે.
ભાવનગર બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી