સ્વાગત કાર્યક્રમમાં સ્થળ પર જ નિવારણ, શૂન્ય આવક અને અપરિણિત હોવાનું પ્રમાણપત્ર મળ્યા : ત્રિલોકસિંહ ચુડાસમા

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરમાં સિટી મામલતદાર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં દેસાઈનગરના રહેવાસી ત્રિલોક્ષી ત્રિલોકસિંહ ચુડાસમાના પ્રશ્નનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું.

આ તકે ત્રિલોકસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે તેઓ દેસાઈનગરમાં રહે છે અને શૂન્ય આવકનો દાખલો તેમજ અપરિણીત હોવાનું પ્રમાણપત્ર તેઓને આપવામાં આવ્યું હતું. આમ, તેમના પ્રશ્નનું સ્થળ પર જ નિરાકરણ અધિક નિવાસી કલેકટર બી. જે. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું

સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ થકી તેઓના પ્રશ્નનું ખૂબ જ ઝડપી નિરાકરણ આવતા તેઓએ સ્વાગત કાર્યક્રમ તેમજ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો

Related posts

Leave a Comment