જી-૨૦ સમિટ અનુસંધાને નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે ભુજ સ્મૃતિવનની મુલાકાત લઇને પૂર્વ તૈયારીની સમીક્ષા કરી

હિન્દ ન્યુઝ, ભુજ

        આગામી માસે જી -૨૦ની સમિટ ધોરડો ખાતે યોજાવાની છે. જેને સંલગ્ન વિશ્વના ૨૭ દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ તા. ૭ થી ૧૦ ફેબ્રુઆરી સુધી કચ્છમાં રોકાણ કરીને સમિટમાં ભાગ લેવા સાથે જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લેશે.

જે અનુંસંધાને આજરોજ નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે ભુજ સ્મૃતિવનની મુલાકાત લઇને પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી.

        ભુજ ખાતે સ્મૃતિવનની મુલાકાત લઇને વિવિધ વિભાગો નિહાળીને જી-૨૦ પરિષદના અનુસંધાને કલેકટર દિલીપ રાણા સાથે જરૂરી ચર્ચા કરીને સુચન કર્યા હતા. આ મુલાકાત દરમિયાન પ્રવાસન વિભાગના સચિવ હારીત શુકલા, પ્રવાસન નિગમના એમડી આલોક પાંડે સાથે રહ્યા હતા.

Related posts

Leave a Comment