તળાજા આઈટીઆઈ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

તળાજા ગવર્ન્મેન્ટ આઈટીઆઈ કોલેજ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અંતર્ગત એકતા દોડ (રન ફોર યુનિટી)નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આઈ. ટી. આઈ. કોલેજના પ્રિન્સિપાલ જે.એમ.દવે અને સ્ટાફમિત્રો સહિત ૧૫૦ જેટલા વિધાર્થીઓ દ્વારા તળાજા શહેરના માર્ગ પરથી ડ્રેસકોડમાં શિસ્તબદ્ધ રીતે પસાર થઈને પોસ્ટર અને સૂત્રો સાથે લોકોમાં એકતા સંદેશ સાથે દોડ યોજાઇ હતી.

અંતમાં સંસ્થાના સુપરવાઇઝર ઈન્સ્ટ્રક્ટર ઋષિભાઈ દવે દ્વારા “એકતા પ્રતિજ્ઞા” લેવડાવી એક જાગૃત નાગરિક તરીકે પરસ્પર ભાઈચારો અને એકતા જાળવી રાખવા અપીલ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સ્ટાફમિત્રો અને વાઈસ પ્રિન્સીપાલ સી.વી પટેલ અને ટી.બી.ખસિયા દ્વારા આયોજન કરવામાં આવેલ હતું.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો હકીમ ઝવેરી

Related posts

Leave a Comment