તા. ૧૧મી એ ભુજ ખાતે સર્વરોગ આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ

      આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, ભુજ તથા શ્રી આશાપુરા માતાજી મંદિરના સંયુક્ત ઉપક્રમે  તા.૧૧/૧૦/૨૦૨૨ મંગળવારે સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ કલાકે શ્રી આશાપુરા માતાજી મંદિર ભુજ ખાતે સર્વરોગ આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન-ચિકિત્સા કેમ્પનું નિ: શુલ્ક આયોજન કરેલ છે.

     જેમાં જન્મ થી ૧૨ વર્ષ સુધીના બાળક્ને શારિરીક-માનસિક વિકાસ અર્થે શ્રેષ્ઠ (સુવર્ણ યુક્ત ઔષધીના) સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે. કિશોરીઓ તથા બહેનોની માસિકને લગતી સમસ્યા તથા ગર્ભીણી/ ધાત્રીને ખાસ પ્રકારની શક્તિ વર્ધક તેમજ રક્તવર્ધક ઔષધો આપવામાં આવે છે. તમામ પ્રકારના રોગોનું, આયુર્વેદ/ હોમિયોપેથી પધ્ધતિથી નિદાન તથા સારવાર મફત કરવામાં આવશે. સીનીયર સીટીઝન કેર માટે સિનિયર સીટીઝનને શક્તિવર્ધક રોગપ્રતિકારક શક્તિવર્ધક ઔષધ આપવામાં આવશે, શરદી-ખાસી-તાવ-કળતર-સાંધાના દુ:ખાવા માટે રોગ પ્રતિકારક શકિત વર્ધક અમૃતપેય ઉકાળાનું પાન સ્વાસ્થ્ય જાળવવા તેમજ રોગનુસાર યોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

     આ કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લેવા વૈદ્ય પંચકર્મ બર્થાબેન પટેલ ,સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ-કચ્છ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.

Related posts

Leave a Comment