તાલાલાના આંકોલવાડી ગામમાં સરકારી જમીનમાં ચાલતા ગેરકાયદેસર ખનન પર મામલતદારના દરોડા

હિન્દ ન્યુઝ, ઉના

મામલતદારની ટીમે પથ્થર કાપતી બે ચકરડી જપ્ત કરી આગળની તજવીજ હાથ ધરી અચાનક દરોડાને પગલે ખનીજચોરો નાસી છૂટ્યા, ઓળખ મેળવવા તપાસ હાથ ધરાઈ

ગીર સોમનાથના તાલાલા ગીર પંથકના આંકોલવાડી ગીર ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન કરી ખનીજ ચોરી થતી હોવાની માહિતીના આધારે મામલતદારે ટીમ સાથે દરોડો પાડ્યો હતો ત્યારે તેમને જોઈ ખનીજચોરો નાસી ગયા હતા. જેથી સ્થળ પરથી પથ્થર કાપવાની બે ચકરડીઓ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

રિપોર્ટર : હર્ષદ વાઢેર, ઉના

Related posts

Leave a Comment