અક્ષય તૃતીયાસ, પરશુરામ જયંતિ અને રમઝાન ઈદ નો અજોડ સયોગ બન્યો, લોકોએ બંધ પાળી સ્વેચ્છાએ ઘરે તહેવારો ઉજવ્યા

હિન્દ ન્યૂઝ, દિયોદર 

કોરોના સમયમાં દિયોદર ખાતે હિન્દુ મુસ્લિમ એકતા ના દર્શન અહીં જોવા મળ્યા. ત્યારે દિયોદર વેપારીઓ અને લોકોએ આજે હિન્દુ સમાજ ના પરશુરામ જયંતી પર ઘરે રહી ભગવાન પરશુરામ ની જ્યંતિ ઉજવી હતી. જ્યાં મુસ્લિમ ધર્મ ના રમઝાન માસ પૂર્ણ થતાં આજે ઇદ નો તહેવાર પણ ઘરે રહી મનાવ્યો હતો.

કોરોના સમયમાં સરકારની ગાઈડ લાઈન મૂજબ લોકો પાલન કરવા જાગૃતિ બતાવી રહ્યા છે ત્યારે દિયોદર મા બંને ધર્મો ના તહેવારો કુદરતી રીતે એક જ દિવસે સંજોગ બની આવ્યા છે ત્યારે દિયોદર મા ભગવાન પરસુરામની જન્મ જયંતિ અને રમઝાન ઈદ નો તહેવાર એક સાથે એક જ દિવસે આવતા હાલની સ્થિતિ એ કોરોના કહેર ને કારણે દિયોદર ના વેપારીઓ અને લોકોએ સ્વયંભૂ બંધ રાખી કોવીડ ગાઈડ લાઈન નું પાલન કરી કોરોના નાં સંક્રમણ તોડવામાં કટ્ટીબધ થયા છે. ત્યારે હિન્દુ મુસ્લિમ ની એકતાના દર્શન પણ થયા છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment