ગુજરાતના મુખ્ય મંત્રીને બનાસકાંઠા આવે એ પહેલા દિયોદર ભારત વિકાસ પરિષદ અને દિયોદર જૈન સંધ એ દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સીજન ફાળવવા અપીલ કરી

 

હિન્દ ન્યૂઝ, દિયોદર 

    ગુજરાતના મુખ્યમંત્રી બનાસકાંઠા ની મુલાકાતે છે ત્યારે કોરો ના ની મહામારી મા લોકોને ખૂબ રડાવ્યા છે. લોકો ઓક્સીજન વગર તડપતા મોતને ભેટયા ની દર્દનાક, હર્દય ભયાનક દ્રશ્યો હજી નજરે ફેર છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે સરકારી કોવીડ હોસ્પિટલ ની મુલાકાતે આવે છે, ત્યારે જિલ્લાના છેવાડા વિસ્તારમાં આવેલ હિન્દ વાણી પંથકમાં આવેલ દિયોદર તાલુકામાં એક માત્ર વર્ષો જૂની જર્જરીત હોસ્પિટલ લોકો ને સરણે આવી જ્યાં ઓક્સીજન ની વ્યવસ્થા લોક ભાગીદારી થી ઓક્સીજન બાટલા, મેડીકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી ખુટતા મેડીકલ સ્ટાપ એ અહીં સરહાનિય કામગીરી હાથ ધરી, ખડે પગે રહી લોકો ના જીવ બચાવ્યા છે તો કેટલાક લોકો ઓક્સીજન ઓછો મળતા મોત થયા છે. ત્યારે દિયોદર ની સેવા ભાવી સંસ્થા ભારત વિકાસ પરિષદ અને દિયોદર જૈન સંધ દ્વારા મુખ્યમંત્રી ને અપીલ છે કે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સીજન માટે પ્લાનટ માટેની વ્યવસ્થા કરવામા આવે. એવી ફેસબૂક ના સોસિંયલ મિડિયા માધ્યમ અપીલ કરી છે.

અહેવાલ: પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment