સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લાકક્ષાના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની સુરેન્દ્રનગર સ્થિત જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે કૃષિ, પંચાયત અને પર્યાવરણ વિભાગના રાજય મંત્રી જયદ્રથસિંહજી પરમારના હસ્તે સવારે ૯.૦૦ કલાકે ધ્વજવંદન કરવામાં આવશે. નોંધનીય છે કે, આ સ્વતંત્રતા દિનના કાર્યક્રમમાં કોરોના મહામારીમાં યોગદાન આપેલ હોય તેવા કોરોના વોરીયર્સનું તેમજ પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમના અંતે રાજય મંત્રી તથા અન્ય મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવશે.

Read More

લોક દરબારના માધ્યમથી નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ દ્વારા સાચા જનપ્રતિનિધિ તરીકેનું દાયિત્વ નિર્વાહ કરતા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

હિન્દ ન્યુઝ, જામનગર અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમંત્રીએ જામનગર શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી લોક દરબારમાં ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મંત્રીએ લોક પ્રશ્નોના નિરાકરણ માટે ખાસ સૂચનાઓ આપી હતી અને લોકોના પ્રશ્નોને સહ્રદયી ભાવે સાંભળી તાત્કાલિક નિરાકરણની ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા દર…

Read More

૭૫ સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિતે પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખંભાળીયા ખાતે કલેકટરના હસ્‍તે થશે ધ્‍વજ વંદન

હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા સમગ્ર દેશની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં ખંભાળીયા સ્‍થિત પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે ૧૫ મી ઓગષ્‍ટની ઉજવણી કરવામાં આવશે. આ સ્‍વાતંત્ર્ય દિને જિલ્‍લા કલેકટર એમ.એ. પંડયાના વરદ હસ્‍તે સવારે ૯-૦૦ કલાકે ધ્‍વજને સલામી અપાશે. કલેકટરના ઉદબોધન બાદ કોરોના વોરિયર્સનું સન્‍માન તેમજ મહાનુભાવોના હસ્‍તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. આ પર્વની ઉજવણી અન્‍વયે તા.૧૩ ઓગષ્‍ટના રોજ રીહર્સલ યોજાયું હતું. જેમા સબંધિત ખાતા કચેરીના અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

Read More

૭૫માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પુર્વ તૈયારીનું રિહર્સલ યોજાયું

હિન્દ ન્યૂઝ, ભુજ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૧ આઝાદીનાં ૭૫માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે કચ્છ જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ શિક્ષણમંત્રી ભુપેંદ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં આર.આર.લાલન કોલેજ, ભુજ ખાતે યોજાશે .જે સંદર્ભે આજરોજ આર.આર.લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે પુર્વ તૈયારીનું રિહર્સલ યોજાયું હતું. આ તકે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે રાષ્ટ્રીય ધ્વજને સલામી અર્પી હતી તેમજ પ્લાટુન પરેડનું નિરીક્ષણ કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ તૈયારીના રિહર્સલમાં જિલ્લા કલેકટર પ્રવિણા ડી. કે. જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નિવાસી અધિક જિલ્લા કલેકટર કુલદીપ સિંહ ઝાલા, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, ડીવાયએસપી જે. એન. પંચાલ, માર્ગ અને મકાન…

Read More

બોગસ કામ થતા અટકાવ્યું, કોન્ટ્રાકટર ને સીખ આપવામાં આવી, તંત્ર ની આંખ ખોલી

હિન્દ ન્યુઝ, દામનગર દામનગર નગર પાલિકાના જાગૃત કોર્પોરેટર ની સરાહનીય કામગીરી દામનગર નગરપાલિકા દ્વારા આર.સી.સી.રોડ નું અંદાજીત રકમ ૧૩ લાખ રૂપિયા નો આરસીસી રોડ મધરાતે દામનગર નગરપાલિકા ની બાજુમાં નવા એસટી બસ સ્ટોપ ની પાસે બનાવ્યો હતો. તેમાં અંદાજિત 65 ફૂટ RCC માં લોખંડ નાખ્યા વગર આરસીસી રોડનું કામ કરી દેવાયું હતું. તેની જાણ થોડાદિવસ પહેલા થતા દામનગર નગર પાલિકાના જાગૃત કોર્પોરેટર અરવિંદભાઈ બોખા, ખીમજીભાઈ કસોટીયા, યાસીનભાઈ ચુડાસમા ને થતા આરસીસી રોડનું કામ અટકાવાયું હતું અને તેની જાણ દામનગર નગરપાલિકાના ચીફ ઓફિસર પરમાર અને દામનગર નગરપાલિકાના પ્રમુખ પ્રિતેશભાઈ નારોલા ને…

Read More

ગીર સોમનાથ જિલ્લાના ભાજપના પ્રમુખ માનસિંગભાઈ પરમાર ના જન્મદિવસ યુવા ભાજપ દ્વારા ઉજવવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, ઉના આજરોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કંસારી મુકામે તાલુકા યુવા ભાજપ દ્વારા કંસારી મુકામે આવેલ દિવ્યાંગ કેર ટ્રેનિંગ સેન્ટરમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ માનસિંગભાઈ પરમાર નો જન્મદિવસ મનાવવામાં આવ્યો. જેમાં વિવિધ જગ્યાએ વૃક્ષો વાવેતર કરવામાં આવ્યું અને દિવ્યાંગ બાળકોને ફુટ પેકેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા યુવા ભાજપના પ્રમુખ સંજયભાઈ બાંભણીયા, નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોશી, પ્રકાશભાઈ ટાંક, યોગેશભાઈ બાંભણીયા કંસારી ગામના સરપંચ તેમજ ભારતીય જનતા પાર્ટી ના કાર્ય કરો હાજર રહ્યા હતા અને માનસિંહભાઇ ને જન્મદિવસની શુભેચ્છા સાથે આવનારા દિવસોમાં રાજકીય રીતે તેમજ સામાજિક રીતે…

Read More

“માં અન્નપૂર્ણા યોજના” અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ માટેના ધોરણોમાં ફેરફાર કરી બાકી રહેલ લાભાર્થીઓને અન્ન સલામતિ કાયદા હેઠળ સમાવેશ કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના તા.૨૨/૦૭/૨૦૧૪ ના ઠરાવ અન્વયે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં “માં અન્નપૂર્ણા યોજના” અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ માટેના ધોરણોમાં ફેરફાર કરી બાકી રહેલ લાભાર્થીઓને અન્ન સલામતિ કાયદા હેઠળ સમાવેશ કરવા બાબતે સરકારશ્રી દ્વારા તા.૧૩/૧૦/૨૦૨૦ થી નવી જોગવાઈઓ ઠરાવવામાં આવેલ છે. “માં અન્નપુર્ણા” યોજનામાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સંચાલિત વાજબી ભાવની દુકાનેથી ઘઉં, ચોખા અને આવશ્યક ચીજવસ્તુઓનું રાહતદરે વિતરણ કરવામાં આવે છે. જે યોજનામાં કુટુંબ યાંત્રિક રીતે ચાલતું ૪ પૈડાંનું વાહન કે યાત્રિક માછીમારીની બોટ ધારણ કરતું હોય, કુંટુંબનો કોઈ પણ…

Read More

ઉના પોલીસ દ્વારા ઉના શહેરમાં આવનારા તહેવારો ને લઈને ફ્લેગ માર્ચ કરવામાં આવ

હિન્દ ન્યુઝ, ઉના ઉના પોલીસ દ્વારા આવનારા સમયમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના એક સાથે તહેવારો આવતા હોય જેમકે સાતમ આઠમ, મોહરમ અને ગણેશ ચતુર્થી જેવા તહેવારોને ધ્યાને લઇને હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોમાં ભાઈચારાની ભાવનાથી એકબીજા પોત પોતાનો તહેવારો શાંતિમય માહોલમાં મનાવે કોઈ અનિશ્ચિત બનાવ ન બને એ અનુલક્ષીને આજે ઉના શહેર ના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં ઉનાના પી.આઇ વી.એમ.ચૌધરી, પી.એસ.આઇ જે.વી ચુડાસમા અને પોલીસ જવાનો આ ફ્લેગમાર્ચ માં જોડાયા હતા. રિપોર્ટર : હર્ષદ વાઢેર, ઉના

Read More

રાજપીપલા ખાતે નર્મદા જિલ્લામાં માનવતાવાદી અભિગમ અપનાવી સમાજ સેવાકીય પ્રવૃત્તિ કરનાર ૧૫ જેટલી વ્યક્તિ તથા સંસ્થાને “રેવાના મોતી- એવોર્ડ” ૨૦૨૧ થી સન્માનિત કરાયા

હિન્દ ન્યુઝ, રાજપીપલા છેલ્લા બે વર્ષથી જનકલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલા આયોજિત “રેવાના મોતી” એવોર્ડ-૨૦૨૧ સમારંભ આ વર્ષે (સેવા સ્મૃતિ સન્માન ) તરીકે ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં નાંદોદના ધારાસભ્ય પી.ડીવસાવા, પ્રાંત અધિકારી કે.ડી.ભગત, જિલ્લાના અગ્રણી અનિરુદ્ધસિંહ ગોહિલ, દિનેશભાઇ તડવી, નર્મદા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ છગનભાઇ વણકરની ઉપસ્થિતિમા દ્વિતીય” રેવાના મોતી” એવોર્ડ- ૨૦૨૧ સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં દીપ પ્રાગટ્ય બાદ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલાના પ્રમુખ શ્રીમતી જ્યોતિબેન જગતાપ અને ટ્રસ્ટી રૂજુતા જગતાપે મહેમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યું હતું. તેમજ મંત્રી દીપકભાઈ જગતાપે સંસ્થાની રૂપરેખા…

Read More

ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલનાં અધ્યક્ષસ્થાને ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર મંત્રી પાલીતાણાનાં ઘેટી ગામ અને મેયર બોરતળાવ ખાતે વૃક્ષારોપણ કરી વન મહોત્સવની ઉજવણી કરશે. આવતીકાલે ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલનાં અધ્યક્ષસ્થાને શ્રીમતી પી.એમ.પટેલ હાઇસ્કૂલ, ઘેટી તા.પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાનાં ૭૨માં વન મહોત્સવની સવારે ૯:૦૦ કલાકે ઉજવણી કરવામાં આવશે.આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષક જુનાગઢ વર્તુળ ડો. કે.રમેશ, જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, નાયબ વન સંરક્ષક સામાજીક વનિકરણ બોટાદના ડો.સંદિપકુમાર સહિત જિલ્લાનાં પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જ્યારે ભાવનગર શહેરનાં બોરતળાવ ખાતે મેયર શ્રીમતિ કિર્તીબાળા દાણીધારીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. ભાવનગરને હરિયાળું બનાવવા ઘેટી ગામ અને…

Read More