જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઈવીએમ મશીનનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન યોજાયું

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  સમગ્ર ગુજરાત રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ આગામી તા. ૭ મેના રોજ યોજાનાર છે. આ અંગે જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં સમવિષ્ટ કુલ ૪ વિધાનસભા વિસ્તાર માટે ઈ.એમ.એસ સોફ્ટવેર દ્વારા રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રેન્ડમાઈઝેશન વખતે વિવિધ રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમ રેન્ડમાઈઝેશન કરી સમગ્ર પ્રક્રિયાને આખરી કરવામાં આવી હતી…

Read More

લોકસભા ચૂંટણીમાં ચૂંટણી ફરજ અન્વયે જિલ્લા હોમગાર્ડઝ દળના સભ્યો માટે અગત્યની જાહેરાત કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      આગામી લોકસભાની ચુંટણીને પગલે જામનગર જિલ્લામાં શાંતિપુર્ણ માહોલમાં ચુંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્રએ ચુંટણી તંત્રની સાથે સંકલન સાધ્યું છે. જેના અનુસંધાને કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જિલ્લા હોમગાર્ડઝ તંત્ર જિલ્લા પોલીસ તંત્રની સાથે રહીને ફરજ બજાવે છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગયા બાદ પોલીસ તંત્ર એક્શન પ્લાન તૈયાર કરી રહી છે અને મતદાન મથકો માટે સુરક્ષા વ્યવસ્થામાં જરૂરી સુરક્ષા જવાનોની યાદીઓ તૈયાર કરવામાં આવી રહી છે. તેમજ ચુંટણી દરમિયાન મતદાન મથકો પર પોલીસ જવાનોની સાથે…

Read More

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪

હિન્દ ન્યુઝ, ભાવનગર     આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત ભાવનગર જિલ્લાનાં શિહોર ખાતે મામલતદાર અને તાલુકાનાં અધિકારી-કર્મચારીઓએ મતદાન મથકોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

Read More

૧૦૧-ગારીયાધાર વિધાનસભા મત વિસ્તારમાં શેરી મીટીંગો કરી મહિલા મતદારોને મહત્તમ મતદાન કરવાં પ્રોત્સાહિત કરાયાં

ભાવનગર : લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર      આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪મા ભાવનગર જિલ્લામાં વધુને વધુ મતદારો મતદાન તરફ પ્રોત્સાહિત થાય અને પોતાના પવિત્ર મતદાનની ફરજ અદા કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આર.કે.મહેતાના માર્ગદર્શન હેઠળ સ્વીપ દ્વારા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે, ત્યારે આજરોજ ૧૦૧-ગારીયાધાર વિધાનસભા મત વિસ્તારમાં મતદાન વધારવા માટે લો વોટર ટર્ન આઉટ ધરાવતા બુથ પૈકીના ગામો તેમજ અન્ય ગામોમાં શેરી મીટીંગો કરી મહિલા મતદારોને મતદાન કરવા પ્રોત્સાહિત કર્યાં હતાં. આ ઉપરાંત ગારીયાધર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશાબહેનોને આગામી લોકસભાની…

Read More

જિલ્લાની ખાનગી ઔદ્યોગિક સંસ્થાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શ્રમજીવીઓ પણ વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય એ માટે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ., ઈન્ડીયન રેયોન, કેસ્ટલરોક ફિશરિઝ લિ., મમતા કોલ્ડ સ્ટોરેજ અને વનિતા ફૂડસ કંપની જેવી જિલ્લાની ખાનગી ઔદ્યોગિક સંસ્થાઓમાં લેબર ઓફિસર તથા ઈન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર દ્વારા શ્રમયોગીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં. આ કાર્યક્રમમાં શ્રમયોગીઓને મતદાનના દિવસે કર્મચારીઓને મળતી રજા તેમજ મતદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને લેબર ઓફિસર દ્વારા શ્રમયોગીઓને ખાસ અનુરોધ…

Read More

ઘુંસિયાના ૮૫ વર્ષના વૃદ્વ દેવજીભાઈ ભલાણીએ લોકોને મતદાન કરવાની કરી અપીલ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪માં ગીર-સોમનાથ જિલ્લામાં વધુને વધુ મતદારો મતદાન કરવા તરફ પ્રોત્સાહિત થાય અને સંવેદનશીલ વિસ્તારમાં મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે સવારે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઘુંસિયા ગામની મુલાકાત લીધી તે વખતે ગામના ૮૫ વર્ષના વયોવૃદ્વ મતદાતા દેવજીભાઈ ધરમશીભાઈ ભલાણીએ લોકોને મતદાન કરવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, હું તો મતદાનના દિવસે મારા મતાધિકારનો ઉપયોગ કરીશ જ આપ પણ તેનો ઉપયોગ કરજો. દેવજીભાઈએ લોકોને મતદાનની અપીલ કરતા કહ્યું હતું કે, સમાજના યુવાઓ વયોવૃધ્ધ સહિતના લોકોએ મતદાન…

Read More

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ નિર્ભયતાપૂર્વક લોકો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લાના સંવેદનશીલ બુથોની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા આજે સતત બીજા દિવસે લોકસભાની આગામી ચૂંટણી નિર્ભયતાપૂર્વક અને મુક્ત તથા ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લાના વિવિધ ગામોના સંવેદનશીલ બુથ અને મહિલા મતદાતાઓની ટકાવારી ઓછી ધરાવતા ગામોની મુલાકાત લીધી હતી. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વિવિધ ગામોના સંવેદનશીલ મતદાન મથકો અને મહિલાઓના ઓછા મતદાન ધરાવતા ગામોમાં મુલાકાત લઈને લોકો સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે, લોકો ધર્મ, વંશ, જ્ઞાતી, જાતી, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા વિના નિર્ભયતાપૂર્વક મતદાન કરી લોકશાહીની પ્રક્રિયામાં મતાધિકારનો ઉપયોગ કરીને જોડાય તે…

Read More

આણંદ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન

હિન્દ ન્યુઝ, આણંદ       ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ જાહેર થતાં ચુંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યાં છે. આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી દ્વારા મતદારો મતદાન કરવા માટે પ્રેરાય અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં મતદાન કરવા અંગેની જાગૃતિ આવે તથા છેલ્લી ચૂંટણીમાં જે મતદાન મથકો ખાતે ઓછું મતદાન થયું છે તેવા વિસ્તારોમાં મતદાન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવા જણાવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીની સ્વીપ કાર્યક્રમ એટલે કે જિલ્લામાં મતદારોમાં જાગૃતિ…

Read More

સોજીત્રા મત વિભાગના આદર્શ મતદાન મથક લિંબાલીની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી

લોકસભા સામાન્ય ચૂંટણી:૨૦૨૪: આણંદ જિલ્લો હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લામાં લોકશાહીના મહાપર્વ એવી લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તારીખ ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. લોકસભાની ચૂંટણીમાં આણંદ જિલ્લામાં વધારેમાં વધારે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અથાક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અન્વયે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ ‘’know Your Polling Booth’’ થીમ અંતર્ગત ૧૧૪-સોજીત્રા મતવિભાગના લિંબાલી આદર્શ મતદાન મથકની મુલાકાત લીધી હતી. લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અંતર્ગત દેશના નાગરિકો મહત્તમ મતદાન કરે અને મતદાન મથકો…

Read More

૧૯૫૭ ની લોકસભાની બીજી સામાન્ય ચૂંટણી : બોમ્બે રાજ્યની બેઠકોમાં થયો વધારો

૧૯૫૭ ની લોકસભાની સામાન્ય ચૂંટણીના લેખા જોખા હિન્દ ન્યુઝ, આણંદ     સમગ્ર ભારતમાં ૧૯૫૭ ના વર્ષમાં લોકસભાની બીજી સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં વિવિધ રાજ્યોની સાથે બોમ્બે રાજ્યની બેઠકો ઉપર પણ ચૂંટણી યોજાઈ હતી. બોમ્બે રાજ્યમાં આવેલા ૫૮ મતવિસ્તારોમાં લોકસભાની આ ચૂંટણી અંતર્ગત ૨૬૪ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા. જે પૈકી ૯૮ ઉમેદવારી પત્ર રદ્દ થતા ૧૬૬ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. આઝાદી બાદની આ બીજી લોકસભાની ચૂંટણી અન્વયેનું મતદાન તા. ૨૫-૨-૧૯૫૭ ના રોજ થયું હતું. મતદાન બાદ આવેલા પરિણામમાં બોમ્બે રાજ્યના તમામ મતદાર વિભાગોના કુલ મળી ૨૪ ઉમેદવારોએ…

Read More