હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના વરદહસ્તે આહવાના સાપુતારા ચાર રસ્તા, પટેલપાડા ખાતે સ્થાયી પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જિલ્લાના ગ્રાહકોને એક જ જગ્યાએથી શુદ્ધ પ્રાકૃતિક આહાર મળી રહે અને સ્થાનિક ખેડૂતોને તેમના ઓર્ગેનિક ઉત્પાદનોનું યોગ્ય બજાર મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે આ કેન્દ્ર શરૂ કરાયું છે. ‘આહવા તાલુકા નેચરલ ફાર્મ પ્રોડક્ટ પ્રોડ્યુસર કંપની લિમિટેડ’ (FPO) દ્વારા સંચાલિત આ કાયમી વેચાણ કેન્દ્ર પરથી નાગલી, દેશી ચોખા, કઠોળ અને બિયારણો એક…
Read MoreAuthor: Admin
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી આ વિચારને માત્ર ઉજવતી નથી, પરંતુ વર્ષના ૩૬૫ દિવસ જીવતી પણ રહે છે.
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢની ધરતી ગિરનારની ગોદમાં વસેલી છે. અહીંનો પવન પણ પ્રકૃતિની સુગંધ લઈને ફરે છે. પરંતુ આ હરિયાળી માત્ર કુદરતની દેન નથી; તેની પાછળ વર્ષોનું જતન, સંવેદના અને સમર્પણ પણ છુપાયેલું છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જ્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણ સંરક્ષણની વાત કરે છે ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી આ વિચારને માત્ર ઉજવતી નથી, પરંતુ વર્ષના ૩૬૫ દિવસ જીવતી પણ રહે છે. લોકો સહિત સૌના સહિયારા પ્રયાસથી જૂનાગઢ મોતીબાગ કેમ્પસ માત્ર જૂનાગઢનું નહીં પણ ગુજરાતનું નજરાણું છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાના શબ્દોમાં, “પ્રકૃતિને…
Read Moreમાઈક્રોફાઈનાન્સ ઈન્ડસ્ટ્રી નેટવર્ક (MFIN) દ્વારા સુરતમાં નાણાકીય સાક્ષરતા અને જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા માન્યતા પ્રાપ્ત NBFC-MFI માટે રાષ્ટ્રીય સ્તરના સ્વ-નિયમનકારી સંગઠન ‘માઈક્રોફાઈનાન્સ ઈન્ડસ્ટ્રી નેટવર્ક (MFIN)’ દ્વારા સુરતના લક્ષ્મીબાઈ કોમ્યુનિટી હોલમાં નાણાકીય સાક્ષરતા અને જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. બંધન બેંક, બેલસ્ટાર માઈક્રોફાઈનાન્સ, ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક, HDFC બેંક અને L&T ફાઈનાન્સના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં જી. એ. સરવૈયા (ACP, ઈકોનોમિક ઓફેન્સ વિંગ, સુરત પોલીસ), દિનેશ આર. (લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર, બેંક ઓફ બરોડા, સુરત), રૂપેશ આર. પનિકર (DDM – AGM, નાબાર્ડ, સુરત), પશુ અતકાલીકર (ડાયરેક્ટર, રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ,…
Read Moreવાપી મનપા દ્વારા જનકલ્યાણ શિબિરનો પ્રારંભ, ૩૦૦ લાભાર્થીઓને માર્ગદર્શન અપાયું
હિન્દ ન્યુઝ, વાપી વાપી મહાનગરપાલિકા દ્વારા ચલા ઝોન ઓફિસ ખાતે કમિશ્નરશ્રી એન.એફ.ચૌધરી, મેયરશ્રી દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયરશ્રી મિતેશભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષશ્રી સતીષભાઈ પટેલ વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં યુસીડી શાખા દ્વારા ત્રણ દિવસની જન કલ્યાણ શિબિરનો તા.૧૭/૦૬/૨૬ ના રોજ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. રાજ્યની પ્રજા સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી બહોળા પ્રમાણમાં પહોંચે તથા આ યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનોને મળે તેમજ વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત ૨૦૪૭ નું ધ્યેય સાકાર કરવા માટે તેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની મુખ્ય યોજનાઓનો આ શિબિરમાં સમાવેશ કરવામાં…
Read Moreઇબોલા પ્રભાવિત ડીઆર કોંગોમાં ફસાયેલા ભુજનાં પ્રોફેસરને ગુજરાત સરકારે રાજદ્વારી સંબંધો થકી વતન વાપસી કરાવી
ભુજ (કચ્છ) સ્થિત શ્રી આર.આર. લાલન કોલેજના સહાયક પ્રાધ્યાપક ડૉ. અમીન સમા ઇબોલા પ્રભાવિત ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ફસાયા હતા અને તેમણે ગુજરાત સરકાર પાસે મદદ માંગી હતી ગુજરાત સરકાર, એનએસજીએફ અને ભારતીય રાજદ્વારી મિશનોની ત્વરિત કાર્યવાહીના પરિણામે ડૉ. અમીન સમાને ભારત પરત ફરવા માટે જરૂરી કાનૂની મંજૂરીઓ મળી “વિશ્વના કોઈપણ ખૂણે મુશ્કેલીમાં મુકાયેલા ગુજરાતીઓ અને ભારતીય નાગરિકોને શક્ય તેટલી સહાય પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતા છે. ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશન, વિદેશ મંત્રાલય અને ભારતીય રાજદ્વારી મિશનોના સંકલિત પ્રયાસોથી અમે એક પડકારજનક આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં ફસાયેલા નાગરિકને સમયસર મદદ અને સહાયતા પૂરી…
Read Moreગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ જામનગર દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગર દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ-૨૦૨૬ની ઉજવણી અંતર્ગત તા. ૨૦ મે થી ૫ જૂન ૨૦૨૬ દરમિયાન વ્યાપક જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પખવાડિયા દરમિયાન ૧૦૦થી વધુ વિવિધ પ્રવૃત્તિઓ યોજીને તમાકુ અને નિકોટિન ઉત્પાદનોના ઉપયોગથી થતા મોઢાના કેન્સર, હૃદયરોગ, ફેફસાંના રોગો તેમજ અન્ય ગંભીર આરોગ્ય સમસ્યાઓ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. સાથે જ, તમાકુ છોડવા ઇચ્છુક વ્યક્તિઓને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અને વિશેષ સલાહકાર સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ વર્ષની વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ “Unmasking the Appeal –…
Read Moreપ્રધાનમંત્રીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના
હિન્દ ન્યુઝ, દાહોદ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે “૧૨ વર્ષ: વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” થીમ અંતર્ગત દેશના સર્વાંગી વિકાસની અનેક સફળ ગાથાઓ ઉજાગર થઈ રહી છે. આ વિકાસયાત્રામાં દેશની વીજળી બચાવવા એક નવી પહેલ સમાન યોજના એટલે પ્રધાનમંત્રી સૂર્ય ઘર: મફત વીજળી યોજના. ભારત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને સસ્તી અને સ્વચ્છ ઊર્જાનો લાભ મળે તેમજ વીજળીના ખર્ચમાં ઘટાડો થાય તે હેતુથી “પ્રધાનમંત્રી સૂર્ય ઘર: મફત વીજળી યોજના”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલી આ મહત્વાકાંક્ષી યોજના દ્વારા…
Read Moreવાસીયા ડુંગરી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, ધાનપુર દાહોદ જિલ્લામાં ધાનપુર તાલુકાના વાસીયા ડુંગરી ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત ધાનપુરના પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય તથા તાલુકા પંચાયત સભ્યઓએ પોર્ટેબલ એક્સ-રે યુનિટની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમ્યાન લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળના આયુષ્માન કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ અને આરોગ્ય ટીમ દ્વારા મહાનુભાવોને પોર્ટેબલ એક્સ-રે યુનિટની કાર્યપદ્ધતિ, ટીબી રોગ સ્ક્રીનિંગની પ્રક્રિયા તેમજ સ્થળ પર જ એક્સ-રે સેવાઓ કેવી રીતે પૂરી પાડવામાં આવે…
Read Moreદાહોદ ખાતે મહિલા રોજગાર મેળાનું આયોજન: એમ.જી. મોટર્સ દ્વારા અનેક યુવતીઓને સ્થળ પર જ મળી નોકરી
હિન્દ ન્યુઝ, દાહોદ રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ, દાહોદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા સેવાસદન, છાપરી ખાતે વિશેષ ‘મહિલા રોજગાર મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળામાં હાલોલ સ્થિત જાણીતી કંપની ‘એમ.જી. મોટર્સ’ (MG Motors) દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. કંપનીના પ્રતિનિધિઓ દ્વારા મહિલા ઉમેદવારો માટે ખાસ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મેળાની વિશેષતા એ રહી કે, ઉપસ્થિત મહિલા ઉમેદવારોની શારીરિક ક્ષમતા ચકાસવા માટે સ્થળ પર જ ઊંચાઈ અને વજનની માપણી કરવામાં આવી હતી, સાથે જ…
Read More૨૧મી જૂનના ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષતામાં આયોજન બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ ૨૧મી જૂન, ૨૦૨૬ના રોજ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીના સુચારૂ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કક્ષાની ઉજવણી અંગે વિવિધ કામગીરીની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર સુરભી ગૌતમએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દાહોદ જિલ્લામાં ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે તથા બહોળી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ યોગ કાર્યક્રમમાં જોડાવવા જણાવ્યું હતું. તેમણે કાર્યક્રમના સફળ આયોજન માટે તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી…
Read More