મોરબી નજીકના જેતપર ગામે ત્રણ શખ્સોએ સામાન્ય બોલાચાલીમાં મામલો બીચક્યો

મોરબી ,

          મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના જેતપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા લલીતભાઈ બાબુ ભાઇ ભોજવીયા (ઉમર વર્ષ ૩૭)ના પ્લોટ ની બાજુમાંથી રસ્તો પસાર થાય છે. આ રસ્તા ઉપર અબ્દુલભાઈ ઉર્ફે કાનો નથુભાઈ કેડા જાતે સંધિ, ઈમ્તિયાઝ અબ્દુલભાઈ અને ફિરોઝ અબ્દુલભાઈ દ્વારા ટાઇલ્સના થપ્પા મુકીને કાચી દિવાલ બનાવીને રસ્તો બંધ કરવામાં આવેલ હતો. જેથી લલીતભાઈ તે મુદ્દે તેઓને કહેવા માટે ગયા હતા. ત્યારે આરોપીઓએ બોલાચાલી કરીને લાકડી તેમજ પાઇપો વડે તેઓને માર માર્યો હતો અને થપ્પડ પણ મારી હતી. જેથી કરીને ભોગ બનેલા લલીતભાઈ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. 

રિપોર્ટર : ભરત વિંધાણી, મોરબી

Related posts

Leave a Comment