રાજકોટ શહેર આજીડેમ સહિતના સ્થળોએ વિસર્જન ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

રાજકોટ,

રાજકોટ શહેર કોરોનાની મહામારીને કારણે ગણપતિ ઉત્સવમાં પંડાલો ઉભા કરવા તથા જાહેરમાં ઉજવણી કરવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. મુર્તિઓનું જાહેરમાં વિસર્જન કરવાની પણ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મનાઇ ફરમાવી જાહેરનામુ બહાર પાડ્યું છે. લોકો આમ છતાં આજીડેમ સહિતના સ્થળોએ વિસર્જન માટે પહોંચ્યા નથી. તેનું નિરિક્ષણ કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ આજીડેમ સહિતના વિસર્જનના સ્થળોએ બપોરે અચાનક પહોંચ્યા હતાં. 

A.C.P એચ.એલ.રાઠોડ, ક્રાઇમ બ્રાંચના P.I વી.કે.ગઢવી, આજીડેમ P.I વી.જે.ચાવડા સહિતનો સ્ટાફ પણ જોડાયો હતો. આજીડેમ સહિતના સ્થળોએ વિસર્જન ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment