કાલાવડ ખાતે હિન્દ ન્યુઝ કાર્યાલય માં ગણપતિ વિસર્જન અને ભોજન સમારંભ યોજાયો

કાલાવડ,

તા. 01-09-2020 ના રોજ હિન્દ ન્યૂઝ મુખ્ય કાર્યાલય કાલાવડ ખાતે પ્રથમ પૂજનીય દેવ ગણપતિજી ની દશ દિવસની સ્થાપના કરી હતી. આ દસ દિવસ પૂજન અર્ચના કર્યા બાદ મહાઆરતી નો કાર્યક્રમ યોજાયો, ત્યાર બાદ ગણપતિ દાદાનુ વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ વિસર્જન બાદ હિન્દ ન્યુઝ કાર્યાલય (સાગર કોમ્પલેક્ષ) ખાતે પ્રીતિ ભોજન નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતું. સરકારશ્રી ના નિયમોનુસાર માસ્ક પહરી અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ વિસર્જન તેમજ ભોજન સમારંભમાં સાગર કોમ્પલેક્ષ નાં દુકાનદારો તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ માં ખેડૂત સંગઠન ના અગ્રણી પ્રવીણભાઈ પડારિયા, મુકેશભાઈ સાંઘાણી, ભાવેશભાઈ સાકરીયા (વરુડી ફોટોગ્રાફી), મેહુલભાઈ જેઠવા, ઋષિરાજસિંહ સોંઢા એ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

હિન્દ ન્યુઝ (અખબાર) નાં તંત્રીશ્રી ડો. સીમાબેન પટેલ દ્વારા આ કાર્યક્રમમાં પધારેલ સાગર કોમ્પ્લેક્ષ ના તમામ વેપારી ભાઇઓને તેમજ પધારેલ આમંત્રિત મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો

 

Related posts

Leave a Comment