હિન્દ ન્યુઝ, ભાવનગર
ભારતીય વાયુસેના દ્વારા એરફોર્સ સ્ટેશન, દરજીપુરા કેમ્પ, વડોદરા ખાતે અગ્નિવીર(વાયુ) ની જગ્યાઓ માટે અવિવાહિત પુરૂષો માટે તા.૨૭/૦૮/૨૦૨૫ થી તા.૨૮/૦૮/૨૦૨૫ તેમજ મહિલાઓ માટે તા.૩૦/૦૮/૨૦૨૫ થી તા.૩૧/૦૮/૨૦૨૫ દરમિયાન ભરતી રેલીનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે.
આ ભરતી રેલીમાં શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૨ પાસ/સમકક્ષ તેમજ ૫૦ ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦ ટકા માર્કસ જરૂરી અથવા ૨ વર્ષનો વોકેશનલ કોર્ષ ૫૦ ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦ ટકા માર્કસ અથવા ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્ષ (મિકેનીકલ/ ઈલેક્ટ્રીકલ/ ઈલેક્ટ્રોનિક્સ/ ઓટો મોબાઈલ/ કોમ્પુ.સાયન્સ/ ઈન્સ્ટ્રુમેટેશન ટેક્નોલોજી/ ઈન્ફોર્મેશન ટેકનોલોજી) ૫૦ ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦ ટકા માર્કસ જરૂરી જરૂરી છે.
ઉમેદવારની જન્મતારીખ તા.૦૧/૦૧/૨૦૦૫ થી તા.૦૧/૦૭/૨૦૦૮ વચ્ચે હોવી જોઈએ. લઘુત્તમ ઉંચાઈ: ૧૫૨ સે.મી. હોવી જરૂરી. અન્ય માહિતી માટે ઓફીશ્યલ વેબસાઈટ: https://agnipathvayu.cdac.in ની મુલાકાત લેવા ભાવનગર જિલ્લા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે..
