હિન્દ ન્યુઝ, ભાવનગર
પી એમ કેન્દ્રીય વિદ્યાલય ભાવનગર પરા ખાતે તા. ૧૫-૦૨-૨૦૨૫ ના રોજ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડના માર્ગદર્શન એવમ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન ન્યૂ દિલ્હીના દિશાનિર્દેશ અનુસાર ભાવનગર મહાનગર પાલિકાના ફાયર એન્ડ આપાતકાલીન વિભાગ દ્વારા વિદ્યાર્થોઓ માટે ફાયર સેફટી અને પ્રતિકારના પ્રાથમિક પગલાં અંગે સાવધાની ફેલાવવા એક વિશેષ પ્રદર્શન યોજાયું. વિદ્યાલયના આચાર્ય નીરજ જોનવાલ દ્વારા પ્રસંગોચિત પ્રવચનમાં જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સજાગત અને સાવચેતી વધે છે જે આવનારા સમયમાં વિદ્યાર્થોઓ માટે ઉપયોગી નિવડશે.