જિલ્લા સ્વાગત અને તાલુકા/ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમ માટે પ્રશ્નો મોકલવાની સમયમર્યાદામાં વધારો

હિન્દ ન્યુઝ, આણંદ

    આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તાલુકા/ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમ અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ માટે અરજદારોને તા.૧૦/૦૬/૨૦૨૪ સુધીમાં સબંધિત કચેરીમાં અરજી મારફતે પ્રશ્નો મોકલવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ પ્રશ્નો મોકલવાની સમયમર્યાદામાં વધારો થતા હવે તા.૧૪/૦૬/૨૦૨૪ સુધીમાં સંબંધિત કચેરીમાં અરજદારો પોતાના પ્રશ્નો મોકલી શકશે. આ ઉપરાંત અરજદારો સ્વાગત કાર્યક્રમની વેબસાઈટ swagat.gujarat.gov.in પર પણ ઓનલાઈન અરજી કરી શકશે.

        ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં તા.૨૬/૦૬/૨૦૨૪ ના બુધવારના રોજ તાલુકા/ગ્રામ સ્વાગત કાર્યક્રમ જે-તે તાલુકા મથક ખાતે તથા તા.૨૭/૦૬/૨૦૨૪ ના ગુરૂવારના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ કલેકટર કચેરી – કોન્ફરન્સ હોલ, આણંદ ખાતે યોજાશે.


Advt.

Related posts

Leave a Comment