આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે હથિયારબંધી તથા સુરૂચિનો ભંગ થાય તેવા કૃત્યો કરવા ઉપર મનાઇ

હિન્દ ન્યુઝ, આણંદ

    આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ સમગ્ર આણંદ જિલ્લામાં તા.૨૭/૦૫/૨૦૨૪ સુધી હથિયારબંધી તથા સુરૂચિનો ભંગ થાય તેવા કૃત્યો કરવાની મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

        આ જાહેરનામા અનુસાર જિલ્લાના કોઈપણ વિસ્તારમાં હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી અને સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે જેનાથી શારીરિક ઈજા કરી શકાય તે સાથે રાખી ફરવા પર પ્રતિબંધ કરાયો છે. આ ઉપરાંત સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય કે બિન અધિકૃત રીતે ચાર કરતાં વધુ માણસોએ એકત્ર થવા પર અને ચાર કરતા વધુ માણસોની કોઇ સભા ભરવા કે બોલાવવા તથા સરઘસ કાઢવા પર પ્રતિબંધ કરાયો છે.

        આ જાહેરનામું સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય કે ફરજ પર હોય તથા અશક્ત લોકોને લાગુ પડશે નહી.

        આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કાયદાની જોગવાઈને આધિન શિક્ષાને પાત્ર થશે.


Advt.

Related posts

Leave a Comment