કોવિડ-૧૯ રોગચાળા સબબ મુંઝવતા પ્રશ્નોનાં નિરાકરણ અંગે જિલ્લા પંચાયત દ્વારા ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત

હિન્દ ન્યુઝ, ભાવનગર 

          ભાવનગર ગ્રામ્ય વિસ્તારનાં તમામ લોકો જે કોવિડ-૧૯ પોઝિટિવ હોય અથવા શંકાસ્પદ હોય અથવા કોવિડ-૧૯ રોગચાળા સબબ મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવા ઇચ્છતા હોય તેવી તમામ ગ્રામ્ય વિસ્તારની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, ભાવનગર જીલ્લા પંચાયત કચેરી આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલ લેન્ડલાઇન નંબર ૦૨૭૮-૨૪૨૩૬૬૫ પર સંપર્ક કરી પોતાના કોવિડ-૧૯ લગત તમામ પ્રશ્નોનાં નિરાકરણ નિઃશુલ્ક કરાવી શકાશે. આ સેવા ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે. આથી આરોગ્ય વિભાગ દ્વારા આ સેવા માટે મુકવામાં આવેલ ડોકટરનો લેન્ડલાઇન નંબર પર સંપર્ક કરી એડવાઇઝ મેળવી નિઃશુલ્ક મળતી સેવાઓનો લાભ લઇ સ્વસ્થ અને સુરક્ષીત રહી શકો છો તો આ નિઃશુલ્ક સેવાનો લાભ લેવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, ભાવનગ૨ દ્વારા અનુરોધ કરાયો છે

Related posts

Leave a Comment