કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને ૧૪માં રાષ્ટ્રીય મતદાતા દિનની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

૨૫મી જાન્યુઆરી-૧૯૫૦ના રોજ ભારતના ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. જે અન્વયે ૨૦૧૧ થી દર વર્ષે ૨૫મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગીર-સોમનાથ કલેક્ટર એચ. કે વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને “મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” ની થીમ આધારીત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે ૧૪માં ” રાષ્ટ્રીય મતદાતા દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.

          કલેકટર એચ.કે.વઢવાણિયાએ હાઉસ ટુ હાઉસ તેમજ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કરેલ કામગીરી અન્વયે, શ્રેષ્ઠ સેકટર ઓફિસર, શ્રેષ્ઠ બી.એલ.ઓ., કેમ્પસ એમ્બેસેડર તથા વયોવૃધ્ધ મતદારો નવા મતદારોને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વધુમાં વધુ મતદારો ભાગ લે તે માટે અપીલ કરવામાં આવી હતી.

            “અવસર ફિલ્મ” અને “હું ભારત છું ” ગીત તેમજ મુખ્ય નિર્વાચાન આયુકત શ્રી રાજીવકુમાર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અન્વયે વિડીયો સંદેશ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.વધુમાં વધુ મહિલાઓ તથા ૧૮ વર્ષથી વધુ વયના મતદારો મતદારયાદીમાં નામ નોંધણી કરાવે તેવી અપીલ કરવામાં આવી હતી. “રાષ્ટ્રીય મતદાતા દિવસ” ની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ ભારતના ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલ મતદાન અંગે પ્રતિજ્ઞા લીધી હતી.’

તદુપરાંત, મરણ થનાર કે સ્થળાંતર કરનાર મતદારો/વારસદારો દ્વારા નામ કમી કરવા માટે હકક-દાવા રજૂ કરવા અપીલ કરવામાં આવી હતી. મતદારોને વધુ વિગતો માટે જિલ્લામાં કાર્યરત જિલ્લા કોન્ટેકટ સેન્ટર ટોલ ફી નંબર ૧૯૫૦ ની સુવિધાનો ઉપયોગ કરી શકાશે.

ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં મતદાન નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદારઓ દ્વારા જે તે તાલુકાઓમાં નકકી કરાયેલ સ્થળોએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી છે.

આ અવસરે ઈન્ચાર્જ નિવાસી અધિક કલેકટર કે.વી.બાટી,નાયબ જિલ્લા ચુંટણી અધિકારી પલ્લવીબેન બારૈયા, સોમનાથ સંસ્કૃત યુનિર્વસીટીના કુલપતિ સુકાન્તકુમાર સેનાપતિ સહિતના અધિકારીઓ- મતદારો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment