ગીર સોમનાથ જિલ્લામાં પ્રજાસતાક દિનની ઉજવણીમાં સહભાગી થવા જિલ્લા કલેકટર એચ. કે. વઢવાણિયા જિલ્લાના નાગરિકોને અનુરોધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ગીર-સોમનાથ જિલ્લામાં ૨૬ મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી સૂત્રાપાડા ખાતે કરવામાં આવનાર છે. તેને અનુલક્ષીને જિલ્લા કલેકટર એચ. કે. વઢવાણિયાએ ૭૫માં પ્રજાસતાક પર્વની જિલ્લાના નાગરિકોને શુભકામનાઓ પાઠવી પ્રજા તંત્રના આ તહેવારમાં સહભાગી થવા જિલ્લાના નાગરિકોને અનુરોધ કર્યો છે.

         કલેકટરએ જિલ્લાના પ્રજાજનોને પ્રજાસતાક પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે, ગીર સોમનાથ જિલ્લામાં ૭૫માં પ્રજાસત્તાક દિનની સ્કૂલો, કોલેજો, સરકારી કચેરીઓ સહિતની જગ્યાઓ ખાતે ઉજવણી કરવામાં આવશે. તેમજ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સૂત્રાપાડાના ખાતે કરવામાં આવશે.

             જેમાં જિલ્લાના વિવિધ જગ્યાઓએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પ્રજાજનોને સહપરિવાર સહભાગી થવા કલેકટરએ અપીલ કરી છે.

Related posts

Leave a Comment