એસએસસી/એચએસસી બોર્ડના વિદ્યાર્થીઓને વિષયલક્ષી માર્ગદર્શન આપતું કાઉન્સેલિંગ સેન્ટર શરુ કરાયું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

     ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી માર્ચ-૨૦૨૪માં બોર્ડની એસએસસી અને એચએસસીની પરીક્ષાને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે કાઉન્સિલિંગ શરુ કરવામાં આવેલ છે. આવી બોર્ડની પરીક્ષામાં વિદ્યાથીઓને અલગ અલગ વિષય માટે માર્ગદર્શનની જરૂર પડતી હોય છે, ઉપરાંત વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો દર, આત્મવિશ્વાસનો અભાવ, યાદશક્તિની સમસ્યાઓ, પરીક્ષાની તેયારીને લગતા પ્રશ્નો મુંજવતા હોય છે. આવી સમસ્યાઓને લઈને વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે અને સફળતા મેળવી શકે તેવા શુભ આશય સાથે જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી,છોટાઉદેપુર દ્વારા કાઉન્સિલિંગ સેન્ટર શરુ કરવામાં આવેલ છે. જેના માટે અલગ અલગ વિષયના અલગ વિષય નિષ્ણાતોના નામ, વિષયના નામ અને સંપર્ક નંબર આ સાથે સામેલ છે. આ બાબતે વિદ્યાર્થીઓને કોઈપણ સમયે માર્ગદર્શનની જરૂર હોય તો સંપર્ક કરી શકાશે.

Related posts

Leave a Comment