તળાજા તાલુકાનાં દિહોર ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું ઉમળકાભેર સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, 

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકિય લાભો પહોંચાડીને તેમના વિકાસને આકાર આપવાની સાથે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જે અનવ્યે ભાવનગર જિલ્લા સહિત તમામ જિલ્લાઓમાં સરકાર દ્વારા પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરીકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતી ફેલાવવા સમગ્ર રાજ્યમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યુ હતું. ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાનાં દિહોર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત કર્યું હતું.

Related posts

Leave a Comment