વર્ષો જુના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ભક્તો નું ઘોડાપુર ઉમટશે

હિન્દ ન્યૂઝ, દિયોદર

        મહાશિવરાત્રી એટલે કે ભગવાન શિવ નો મહિમા મહાશિવરાત્રી ના દિવસે સમગ્ર જિલ્લા માં મહાદેવ મંદિરો હર હર મહાદેવ માં નાદ થી ગુંજી ઉઠશે. જેમાં જિલ્લા ના દિયોદર ખાતે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર પણ વર્ષો જૂનું મંદિર છે. જેમાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મહા શિવરાત્રી ને લઈ ભક્તો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહો છે. જેમાં આજે શિવરાત્રી ના પાવન દિવસે શિવજી ના ભક્તો મહાદેવ ભગવાન ની પૂજા અર્ચના કરશે. જેમાં દિયોદર ના તમામ શિવાલય હર હર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠશે એક બાજુ જિલ્લા માં કોરોના વાઈરસ ના કેસો ને લઈ વહીવટી તંત્ર દ્વારા તકેદારી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. જેમાં દિયોદર ખાતે પણ મહા શિવરાત્રી ને લઈ દરેક મહાદેવ મંદિર ખાતે પણ ભક્તો સોસીયલ ડિસ્ટન સાથે દર્શન કરે તે માટે આહવાન કરવામાં આવ્યું છે. જેમાં મહા શિવરાત્રી ને લઈ અનેક સેવાભાવી સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. જેમાં રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિર પણ યોજાશે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment