હિન્દ ન્યુઝ, ગાંધીનગર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા કરાઇ રંગારંગ ઉજવણી
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ સમાજમાં વૈચારિક ક્રાંતિ દ્વારા સમાજ સુધારણા ક્ષેત્રે નિરંતર કાર્ય કર્યુ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : દયાનંદ સરસ્વતીજીએ વેદોના જ્ઞાનનો દુનિયાને પરિચય કરાવ્યો
અજ્ઞાનતા – અંધવિશ્વાસ જેવા
કુરિવાજો સામે સમાજને જાગૃત કરવા શ્રેષ્ઠ કાર્ય કર્યું મહર્ષિ દયાનંદ સરસ્વતી સહિતના સંતો-ઋષીઓનું સમાજ – રાષ્ટ્ર નિર્માણમાં ખૂબ મોટું યોગદાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ : સ્વામીજીએ રોપેલાં બીજમાંથી જે વટવૃક્ષ ઊભું થયું એનો અનુભવ આજે સમગ્ર માનવજાત કરી રહી છે
દયાનંદ સરસ્વતીજીએ સમાજનાં દૂષણો દૂર કરીને લોકોને સાચો માર્ગ દર્શાવીને જનકલ્યાણનું અમૃત લોકોમાં ફેલાવ્યું
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જનકલ્યાણનું અમૃત વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી લોકો સુધી પહોંચ્યું